બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / મહારાષ્ટ્રનું માઉન્ટ એવરેસ્ટ, જેને જોઈને આનંદ મહિન્દ્રા મંત્રમુગ્ધ થઈ ગયા?
Last Updated: 10:28 PM, 28 April 2024
Maharashtra Kalsubai peak: કલસુબાઈ શિખરને મહારાષ્ટ્રનું માઉન્ટ એવરેસ્ટ કહેવામાં આવે છે. તમે તેને સર કરી ગયા તો માનો કે મહારાષ્ટ્રમાં તમારાથી ઉપર કોઇ નથી. વાસ્તવમાં તાજેતરમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પર્વતમાળા સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યુ કે, હું ઘણીવાર ઇગતપુરી ગયો છું. પરંતુ આ સ્થળ અને તેની સુંદરતા વિશે ક્યારેય સાંભળ્યું નથી, આપણે જીવનમાં એક વાર અહીં મુલાકાત લેવાનો સમય ચોક્કસ કાઢવો જોઈએ. "
ADVERTISEMENT
કોઈપણ પ્રવાસીને આકર્ષનાર આ નયનરમ્ય પર્વતમાળાની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 5,400 ફૂટ છે. તમે અહીં શિખર પરથી બરફ ભલે જોઇ ના શકો પરંતુ આસપાસની હરિયાળી અને વાદળોની છાયા ચોક્કસપણે તમને અપાર આનંદની અનુભૂતિ કરાવશે. જો તમે પણ પ્રાકૃતિક દ્રશ્યો જોવાના શોખીન છો અથવા ટ્રેકિંગનો શોખ ધરાવો છો, તો તમે એક વખત ભારતમાં આ જગ્યાની મુલાકાત ચોક્કસ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે કલસુબાઈ પર્વત મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના આલોકા તાલુકામાં સ્થિત છે અને તેને 'મહારાષ્ટ્રનું એવરેસ્ટ' પણ કહેવામાં આવે છે.
This is Mt. Kalsubai in Maharashtra near Igatpuri, Near our Engine Factory.
— anand mahindra (@anandmahindra) April 27, 2024
I’ve been to Igatpuri several times but never heard about this place & its beauty. Let alone visiting it.
We definitely need to take time in life to “Stop & smell the roses.”
pic.twitter.com/6pzbD5Appy
ટ્રેકિંગના શોખીન લોકો માટે કલસુબાઈ પર્વત કોઈ સ્વર્ગથી ઓછો નથી. સ્થિતિ એવી છે કે લોકો અહીં દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ટ્રેકિંગ કરતા જોવા મળે છે. કલસુબાઈના શિખર પરથી ઉગતા સૂર્યને જોવાનો અહેસાસ પણ પોતાનામાં ખૂબ જ ખાસ છે, જેના માટે જો તમે અહીં ફરવા માંગતા હોવ તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનો શ્રેષ્ઠ છે. જોકે પર્વતારોહણ માટે ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે ચોમાસા પછીનો સમય વધુ સારો માનવામાં આવે છે.
વધુ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ
મુંબઈથી માઉન્ટ કલસુબાઈ જવા માટે કસારા સુધી લોકલ ટ્રેન ચાલે છે, ત્યારબાદ તમે જીપની મદદથી બારી ગામ પહોંચી શકો છો અથવા તમે પેસેન્જર ટ્રેનની મદદથી ઈગતપુરી પણ જઈ શકો છો, જ્યાંથી પેસેન્જર વાહનોમાં તમે બારી ગામ સુધી જઇ શકો છો જે કલસુબાઈ પર્વતનું પાયાનું ગામ છે.
ADVERTISEMENT
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ