બ્રેકિંગ ન્યુઝ
સંકટ મોચન, અંજનીપુત્ર, પવનપુત્ર, રામભક્ત હનુમાનને આવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. દરે વર્ષે ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે 23 એપ્રિલ એટલે કે આજે હનુમાન જયંતી ઉજવવામાં આવશે. હનુમાન જયંતીનો પર્વ સંકટમોચનને સમર્પિત છે.
ADVERTISEMENT

માટે આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ પૂજા પાઠ કરવા આવે છે. માન્યતા અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવાથી ભક્તોની દરેક પ્રકારની મનોકામનાઓ પુરી થાય છે.
ADVERTISEMENT
સિંદૂરના ઉપાયથી દૂર થશે શનિની સાડેસાતી
હિંદૂ ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર હનુમાનજીને અતિ પ્રિય છે. હિંદૂ ધાર્મિક કાર્યોમાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે સિંદૂર સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાની પીડાથી છુટકારો મળવાનો શરૂ થઈ જાય છે.
શનિની સાડેસાતીથી મળશે મુક્તિ
હનુમાન જયંતી પર સિંદૂર અને ચમેલીના તેલનું સંકટ મોચન હનુમાનના પગમાં લીપણ કરો. તેનાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાની પીડાથી છુટકારો મળવાનો શરૂ થઈ જાય છે.
ADVERTISEMENT

દૂર્ઘટનાનો ભય થશે સમાપ્ત
જો હનુમાનજીને અર્પિત કરેલા સિંદૂરનો વ્યક્તિ માથા પર તિલક લગાવે છે તો તેને દુર્ઘટનાનો ભય નથી રહેતો અને દરેક પ્રકારના સંકટથી પણ દૂર થઈ જાય છે.
ADVERTISEMENT
વિદ્યા અને જ્ઞાનની થશે પ્રાપ્તિ
જો વિદ્યાર્થી હનુમાનજીને ચડાવવામાં આવેલા સિંદૂરથી પોતાના પુસ્તક તિલક કરે છે અથવા તો સ્વસ્તિક બનાવે છે તો તેને બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
વધુ વાંચો: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો, મંગળવારે પાઠ કરવાથી મળશે શુભ ફળ
ADVERTISEMENT
મળે છે બળ, રોગ થાય છે દૂર
આ બધા ઉપરાંત જે વ્યક્તિ હનુમાનજીને ચડાવવામાં આવેલા સિંદૂરને પોતાના માથા અને ગળા પર લગાવે છે તો તેને બળની પ્રાપ્તિ થાય છે અને આવા મનુષ્ય સામાન્ય રીતે રોગોથી દૂર રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.