બ્રેકિંગ ન્યુઝ
ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી, બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે. હનુમાનજીને અમર રહેવાનું વરદાન પણ પ્રાપ્ત છે. માટે હનુમાનજીની જન્મતિથિને જયંતીની જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે.
ADVERTISEMENT

હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણીમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024, મંગળવારે છે. આ દિવસે હનુમાનજીને ચોલા ચઢાવવા, બજરંગ બાણનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભ આપે છે.
ADVERTISEMENT
સાથે જ હનુમાન જયંતીનો દિવસ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે પણ ખાસ હોય છે. માટે આ દિવસે તુલસી સાથે જોડાયેલો એક ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.
હનુમાનજીને પણ પ્રિય છે તુલસી
હનુમાનજીના પુજનમાં સિંદૂર, પીળા ફૂલ, બૂંદીના લાડવા, ઈતર, ધજા વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે હનુમાનજીને તુલસી પણ ખૂબ જ પ્રિય છે. આ હનુમાન જયંતી પર તુલસી સાથે જોડાયેલું એક કામ કરી લો તો હનુમાનજીની કૃપા તમારા પર રહેશે સાથે જ માતા લક્ષ્મી પણ ધનનો વરસાદ કરશે.
ADVERTISEMENT

હનુમાન જયંતીના ઉપાય
હનુમાન જયંતીના દિવસે લાલ સિંદૂરમાં ચમેલીનું તેલ નાખો અને પછી તુલસીના પાનથી હનુમાનજીને તીલક કરો. હનુમાનજીના પાનથી હનુમાનજીને તિલક કરવાનો આ ઉપાય તમારા કષ્ટોને દૂર કરશે.
ADVERTISEMENT
સાથે જ હનુમાન જયંતી વખતે હનુમાનજીને જે પણ ભોગ લગાવો, તેમાં તુલસીના પાન જરૂર નાખો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી જાતક પર હનુમાનજીની કૃપા બની રહે છે. સાછે જ ઘરમાં ધન-દોલત, સમૃદ્ધિ વધે છે.

ADVERTISEMENT
વધુ વાંચો: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો, મંગળવારે પાઠ કરવાથી મળશે શુભ ફળ
તુલસીની માળા
આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હનુમાનજીને તુલસીના પાનની માળા બનાવીને અર્પિત કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કરવાથી હનુમાનજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન લાભના પ્રબળ યોગ બને છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.