બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / haldarvas former sarpanch allegation on cabinet minister Arjun Singh Chauhan of physical abuse
Dhruv
Last Updated: 04:27 PM, 28 July 2022
હલદરવાસના પૂર્વ સરપંચે ખેડાના SPને અરજી આપી છે. જે મામલે અરજદારનું એમ કહેવું છે કે, 'મંત્રી અર્જુનસિંહે ચાર વર્ષ સુધી મારી પત્નીનું શારીરિક શોષણ કર્યું. મિટીંગના બહાને મંત્રી પત્નીને બહાર લઇ જતા હતા. અર્જુનસિંહ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ હતા ત્યારે તેઓએ શોષણ કર્યું હતું. આથી મંત્રીના ડરના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી.' અરજદારના પત્ની તાલુકા પંચાયતના સભ્ય હતા એ સમયે ઘટના બન્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જુઓ શું કહ્યું હલદરવાસના પૂર્વ સરપંચે?
આ સમગ્ર ઘટના અંગે હલદરવાસના પૂર્વ સરપંચે જણાવ્યું કે, 'મારું નામ હિતેશકુમાર શંકરલાલ પટેલ છે. હું હલદરવાસનો રહેવાસી છું અને ઘટના એવી બનેલી છે કે 26 વર્ષ પહેલા મારા મેરેજ થયા ત્યાર બાદ અત્યારે 15ની સાલ પછી મારી વાઇફ ડેલિકેટ બની. જેથી તેને અવારનવાર મિટીંગમાં આવવા-જવાનું થતું. ત્યારે મારી પત્નીએ એક દિવસ મને કીધું કે, 'મારી સાથે આવું થઇ રહ્યું છે અને મને ધાકધમકી આપેલી છે, મારા પત્નીને અર્જુનસિંહ ચૌહાણે ધમકી આપેલી કે જ્યારે તેઓ મહેમદાવાદ તાલુકાના MLA હતા. ત્યારે તેઓએ મારી પત્ની સાથે શોષણ કર્યું અને અવારનવાર બોલાવીને ગમે ત્યારે તેમના મિત્રો સાથે પણ તેઓ મોકલતા હતા.'
તેઓએ બરબાદ કરી નાખવાની પણ ધમકી આપેલી: પૂર્વ સરપંચ
વધુમાં હલદરવાસના પૂર્વ સરપંચે જણાવ્યું કે, 'મારી પત્ની એ વખતે મહેમદાવાદ તાલુકા પંચાયતમાં સદસ્ય હતા, ડેલિગેટ હતા એટલે તેઓ તેમના સંપર્કમાં આવ્યા. મીટિંગમાં જ્યારે જવાનું થતું ત્યારે તેઓની સાથે મુલાકાત થતી. જ્યારે આ ઘટના બની ત્યારે મારી પત્નીને મારી નાખવાની ધમકીનો ડર હતો અને બરબાદ કરી નાખવાની પણ તેમને ધમકી આપેલી. મારી પત્નીએ જે-તે સમયે મને સવારના 6 વાગ્યે આ બાબત અંગે જાણ કરી હતી. એ ડરેલી જ હતી અને નહોતી જ કહેવાની પછી મે થોડું તેની પર દબાણ કર્યું કે મને જે હોય તે કેહ. પછી તેને બધી મને જાણ કરી.'
લોકડાઉનની અંદર તે દોઢ-પોણા બે મહિને પાછી આવેલી: પૂર્વ સરપંચ
મારી પત્નીએ કહ્યું કે, 'અર્જુનસિંહ ચૌહાણે મારી સાથે આવું-આવું કરેલું, લોકડાઉનની અંદર તે મારા ઘરેથી ગયેલી તે ડોઢ-પોણા બે મહિને હું નારી સુરક્ષામાંથી મારી પત્નીને જઇને પાછી લઇ આવેલો. એ દરમ્યાન જે બધું થયેલું તે બધુ વધારે પડતું એ અરસામાં થયેલું. દોઢ મહિના સુધી મારી પત્ની ઘરે જ ના આવી. મે સગાં-વહાલાને ત્યાં પણ તપાસ કરાવેલી, નારી સુરક્ષામાં જઇને તપાસ કરાવી હતી પણ ત્યાં પણ મને કોઇએ જવાબ ન હોતો આપ્યો. પણ પછી છેલ્લે મને ખ્યાલ આવ્યો કે મારી પત્ની અર્જુનસિંહ સાથે ગયેલી છે. પછી તે આવીને પાછી ગાયબ થઇ ગઇ અને ફરી પાછી જતી રહી. બસ ત્યારની એ ગઇ છે અને હજુ સુધી તે પાછી આવી નથી. જો કે દસેક દિવસ પહેલાં આવી હતી, મે નરોડા તેને રહેવા માટે મકાન લીધું હતું પણ તે ડરેલી જ એટલી હતી કે કંઇ જ ખબર ન હોતી પડી એને. મારી પત્ની અત્યારે કંઇક બોમ્બે સાઇડ મહારાષ્ટ્રમાં પુનાના ગામમાં છે પણ ક્યાં છે તે ખબર ના પડી. મે નરોડામાં અરજી આપેલી છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime