બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથમાં કરી પૂજા, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિવલિંગને બિલિપત્ર ચઢાવ્યા
Last Updated: 05:59 PM, 15 February 2026
Bhupendra Patel: મહાશિવરાત્રિના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ પહોંચ્યા છે. ભવનાથ મંદિરમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી હતી. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીએ શિવલિંગને બિલિપત્ર ચઢાવ્યા હતા.
ADVERTISEMENT
મહાશિવરાત્રિના પાવન પર્વે ભોલેનાથ બાબા સામે મુખ્યમંત્રીએ શીશ ઝૂકાવ્યું છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે રાજયના લોકોની સુખાકારીની કામના કરી હતી. જૂનાગઢમાં છેલ્લાં 5 દિવસથી શિવરાત્રિનો મેળો યોજાઈ રહ્યો છે.
ADVERTISEMENT
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગથી લઇ જુનાગઢ સુધી મેળો અને ઉત્સાહનો માહોલ છે. આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે શિવાલયોમાં નજર આવ્યા છે. ત્યારે દરેક જગ્યાએ પ્રશાસને ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તે માટેના યોગ્ય પગલાં લીધા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહાશિવરાત્રીના પાવન અવસરે ભવનાથ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. જૂનાગઢની ભવનાથ તળેટી શિવભક્તોની ભીડથી ગૂંજી ઊઠી હતી. જ્યાં દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભોળાનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. ભક્તોની ભારે સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા સુરક્ષા અને સુવ્યવસ્થિત દર્શન માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.