બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમને લઈ આ રસ્તાઓ રહેશે બંધ, અહીં જાણો વૈકલ્પિક રુટ
Last Updated: 09:14 AM, 11 January 2026
PM Modi In Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાત લેવાના હોવાથી શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં PM મોદી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેવાના છે. બંને VVIP મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ વિસ્તારને ખાસ સુરક્ષા ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
તા.૧૨/૦૧/૨૬ ના રોજ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ માં દેશના માનનીય વડાપ્રધાનશ્રી તથા જર્મનીના માનનીય ચાન્સેલરશ્રી નાઓ પધારનાર છે. જે કાર્યક્રમ દરમિયાન જણાવ્યા મુજબના માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. pic.twitter.com/8TxsbqAk9Z
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) January 9, 2026
સવારે 7 થી 12 વાગ્યા સુધી રિવરફ્રન્ટ રોડ બંધ
ADVERTISEMENT
સોમવારના દિવસે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જોકે, આશ્રમ રોડ યથાવત ચાલુ રહેશે.
🇮🇳
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) January 9, 2026
અમદાવાદ શહેર ખાતે આગામી દિવસોમાં નિર્ધારિત મા.વડાપ્રધાનશ્રીનાઓની મુલાકાત અન્વયે, આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ અધ્યક્ષતા માં સમગ્ર પોલીસ બંદોબસ્ત અંગેની સમીક્ષા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગમાં તમામ ઊચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા.
ઉપરાંત પોલીસ… pic.twitter.com/KVpXqsHY3w
ADVERTISEMENT
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. વાહનચાલકો વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ, ત્યારબાદ ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ બ્રિજ, ટાઉનહોલ અને પાલડી તરફ જઈ શકશે.

ADVERTISEMENT
કડક સુરક્ષા વ્યવસ્થા
આ તરફ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા પતંગ મહોત્સવ માટે 1 સંયુક્ત પોલીસ કમિશનર, 6 ડીસીપી સહિત લગભગ 4000 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તહેનાત રહેશે. નહેરુબ્રિજ અને ગાંધીબ્રિજ પર તેમજ આસપાસના ધાબા પોઈન્ટ્સ પર 50 થી વધુ ચેતક અને એનએસજી કમાન્ડોઝને મુકવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ, જાણો આજે શું છે PM મોદીનો શેડ્યૂલ ?
ગાંધી આશ્રમની સુરક્ષાની જવાબદારી સેક્ટર-1 ના સંયુક્ત પોલીસ કમિશનર નિરજકુમાર બડગુજરને સોંપવામાં આવી છે, જ્યારે રિવરફ્રન્ટ વિસ્તારની સુરક્ષા ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સંભાળશે. નોંધનીય છે કે, કાર્યક્રમ પહેલાં શનિવારે આખા રૂટ પર SPG ટીમ સાથે શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતુ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.