બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:37 PM, 17 August 2025
ADVERTISEMENT
ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો લોક સાહિત્યકાર દેવાયત ખવડ આખરે ઝડપાયો છે. પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના દિવસે દેવાયત ખવડે જુનાગઢના તાલાળામાં અમદાવાદના ધ્રૂવરાજિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો જે પછી તે ફરાર થઈ ગયો હતો. આમ 4 દિવસ બાદ તેની ધરપકડ કરાઈ છે.
ક્યાંથી ઝડપાયો
ADVERTISEMENT
પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ હવે ખવડે કોર્ટમાં રજૂ કરશે જે પછી તેના જામીન કે રિમાન્ડ પર નિર્ણય આવી શકે છે.
સરેન્ડર કર્યું
ADVERTISEMENT
દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. ખવડ છેલ્લા 4 દિવસથી ફરાર હતો. પોલીસે તેને શોધવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.
વધુ વાંચો : 3500 વર્ષ જુનો ભૂત ભગાડતો છોડ જોયો છે? ઘરમાં ઉગાડવાના અનેક ફાયદા, ખૂબસુરતી દિલ હરી લેશે
ADVERTISEMENT
દેવાયત ખવડે શું કર્યું હતું?
ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો હતો. ગત રોજ જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.