બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / યોગ કર્યા બાદ યોગગુરૂને જ આવ્યો હાર્ટ એટેક, ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યાં
Last Updated: 11:33 PM, 23 July 2025
ADVERTISEMENT
Rajkot News : રાજકોટમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. હાર્ટ એટેક હાલ ભારતમાં એક વિશાળ સમસ્યા બની ચુકી છે. જામનગરનાં ખ્યાતનામ હાર્ટ સર્જનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી ગઇ હતી. ત્યાર બાદ હવે એક યોગગુરૂનું પણ હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું છે. આ પણ યોગ કર્યાની તુરંત જ બાદ આ ઘટના બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગ અને કસરત દ્વારા તમારા હૃદયને વધારે મજબુત બનાવી શકાય તેવા દાવાઓ પણ કરવામાં આવતા હતા.
રાજેન્દ્રસિંહ ગુરૂજીનું હાર્ટ એટેકનાં કારણે મોત
ADVERTISEMENT
રાજકોટમાં હાર્ટ એટેકમાં 52 વર્ષના રાજેન્દ્રસિંહ ગુરજીનું મોત નિપજ્યું છે. યોગ કર્યા પછી છાતીમાં દુખાવો થયો અને ખુરશી પર બેઠા હતા. પળવારમાં જ નીચે ઢળી પડતા છેલ્લા શ્વાસ લીધા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાર્ટ એટેકથી ગુરૂજીનું મોત નિપજ્યું હતું. મિનિટોમાં જ 52 વર્ષના રાજેન્દ્રસિંહે લીધા અંતિમ શ્વાસ લીધા હતા. યોગ કર્યા બાદ ખુરશીમાં બેસીને આરામ કરી રહ્યા હતા ત્યાં જ ઢળી પડ્યાં હતા.
આ પણ વાંચો : GSRTC ની બસ ઢાળ ન ચડી શકતા ખીણમાં ખાબકી, 9 લોકો ઘાયલ, 2 ગંભીર
ADVERTISEMENT
યોગ કર્યા બાદ એટેક આવતા ઢળી પડ્યાં
રાજકોટમાં યોગ કર્યા બાદ હાર્ટ એટેક આવતા વ્યક્તિનું મોત નિપજ્યાંની ઘટના સામે આવી છે. યોગ કર્યા બાદ એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક આવ્યો હતો. યોગ કર્યા બાદ છાતીમાં દુખાવો થતાં ખુરશી પર બેસી ગયા હતા. ખુરશી પર બેઠા બાદ અચાનક ઢળી પડતા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. રાજેન્દ્રસિંહ ગુરજી નામના 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકની ઘટનાના CCTV પણ સામે આવ્યા જે કોઇ પણ વ્યક્તિને હચમચાવી મુકે તેવા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.