બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સરેન્ડર માટે 18 સપ્ટેમ્બર છેલ્લો દિવસ, છતાંય અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસ પક્કડથી કેમ દૂર?
Last Updated: 09:23 AM, 17 September 2025
Aniruddhasinh Jadeja Surrender : રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અનિરુદ્ધસિંહ જાડેજાને 8 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનું હતું પણ તેઓએ અત્યાર સુધીમાં પોતાનો આત્મસમર્પણ કર્યું નથી. હવે હાઈકોર્ટ દ્વારા મળેલી મુદત પ્રમાણે 18 સપ્ટેમ્બર અનિરૂદ્ધસિંહ માટે છેલ્લી તારીખ છે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, અનિરુદ્ધસિંહ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યા કેસમાં આરોપી છે અને આ મામલામાં મળેલી સજા માફીનો નિર્ણય હાઈકોર્ટે રદ કરી દીધો છે. એટલે હવે તેમને ફરીથી જેલમાં હાજર થવાનું છે.
હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ મારફતે પોતાનો પાસપોર્ટ સબમિટ કરાવ્યો હતો, જેના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેઓ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે. જોકે ડેડલાઇન નજીક છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહત્વનું છે કે, તેઓના વિરુદ્ધ એક બીજો ગંભીર આરોપ પણ નોંધાયેલો છે. વિગતો મુજબ પાટીદાર યુવાન અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ તેઓ આરોપી છે. આ કેસમાં અમિતના પરિવારજનોએ અનિરૂદ્ધસિંહ પર ત્રાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : આ તારીખ સુધી બંધ રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, RTO જતા પહેલા શહેરીજનો વાંચી લેજો
ADVERTISEMENT
જો સરેન્ડર નહીં કરે તો ?
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, જો અનિરૂદ્ધસિંહ 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ માટે કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે. અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.