બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ગીરના જમજીર ધોધમાં પ્રવાસીઓ ફસાયા, ફાયર વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યૂ
Last Updated: 09:33 PM, 26 June 2025
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે જુનાગઢના કેશોદમાં એક મહિલા નદીમાં તણાઇ ગઈ છે. આ સાથે ભાવનગરના ધોધા ગામે ખાડામાં પડતાં બે બાળકોના મોત થયા છે. આ તરફ સુરતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કંટવા ગામે બળદ તણાયા હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઉપરવાસમાં વરસાદને કારણે ખાડીમાં પાણીની આવક થઈ હતી. જે બાદમાં હવે અહીં બળદ તણાઇ ગયા હતા. ત્યારે ગીર સોમનાથના જમજીર ધોધ જોવા આવેલા દીવના મુસાફરો ફસાયા હતા.
ADVERTISEMENT
ગીર સોમનાથ: જમજીર ધોધ જોવા આવેલા દીવના 6 યુવાનો અટવાયા, એક મોટી શિલાએ બચાવ્યા#girsomanth #jamjirdodh #GujaratFlood #SuratFlood #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/wqwZQ0mUpj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2025
હવામાનની આગાહી પ્રમાણે જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ તરફ સમાચાર સામે આવ્યા છે કે, ગીર સોમનાથના જમજીર ધોધ જોવા આવેલા દીવના મુસાફરો અટવાયા છે. આ દરમિયાન ધોધમાં ફસાયેલા મુસાફરોનું વેરાવળ કોડીનાર ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

વધુ વાંચો:ગુજરાતમાં આફતનો વરસાદ! ક્યાંક મહિલા તણાઈ તો ક્યાંક બાળકો ડૂબ્યા, જુઓ વીડિયો
ADVERTISEMENT
હકીકતમાં ઘટના એમ છે કે, દીવના 6 યુવાનો બાઇક લઈને ગીર સોમનાથ ફરવા આવ્યા હતા. ત્યાં તેઓ જમજીર ધોધ જોવા માટે ગયા ત્યારે અચાનક અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો.પાણીનો પ્રવાહ અચાનક વધતા દીવથી ફરવા આવેલા મુસાફરો જીવ બચાવવા માટે એક મોટા પથ્થર પર ચડી ગયા. પથ્થર પર ચડયા બાદ પણ પાણીનો પ્રવાહ ધીમો ન પડ્યો જેથી મુસાફરો ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં વેરાવળ કોડીનાર ફાયર વિભાગે અને સ્થાનિક લોકોએ ફરવા આવેલા મુસાફરોનું રેસ્ક્યૂ કર્યું અને તેમને સલામત બહાર કાઢ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.