બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્કૂલોની મનમાની હવે નહીં ચાલે! સુરતના DEOનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય
Last Updated: 04:50 PM, 31 May 2025
ઉનાળું વેકેશન ખુલતાની સાથે જ ખાનગી શાળાઓની મનમાની સામે આવતી હોય છે. FRCના નિયમોનો ઉલાળ્યો કરીને મસમોટી ફી લેવી કે શાળામાંથી જ યુનિફોર્મ, ચોપડા સહિતની સ્ટેશનરીઓ ખરીદવા દબાણ કરાતા હોવાની ફરિયાદ ઉઠે છે. જેને પગલે આ સ્ટેશનરી મર્ચન્ટ એસોસિયેશને કલેક્ટર અને DEOને રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
ખાનગી શાળાઓ હવે નહીં વેચી શકે સ્ટેશનરી
શાળામાં વેચાતા ચોપડા 15થી 20% મોંઘા પડતા હોવાનો દાવો કર્યો હતો. તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવાતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચાવા આદેશ કર્યો છે. જો કોઇપણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે.આમ છતાં શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે' અમરેલી SP સામે ભાજપના નેતાઓના ગંભીર આક્ષેપ

ADVERTISEMENT
'આર્થિક નુકસાન વિદ્યાર્થીને જ થાય છે'
સ્ટેશનરીના દુકાનદારે કહ્યું કે, ઘણીબધી સ્કૂલોમાંથી જ વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને બુકો આપવામાં આવે છે, જેમાં કેટલીક બુક બોળકોને ન આપવામાં આવતી હોવાથી બોળકો તે બુક્સો માટે સ્ટેશનરી સુધી ધક્કા ખાય છે અને જે બુક્સ એક કે બે જ લેવાની હોવાથી સ્ટેશનરીના દુકાનદાર તેનું ડિસ્કાઉન્ટ પણ નથી આપતા જેનાથી આર્થિક નુકસાન વિદ્યાર્થીને જ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.