બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું' પ્લેન ક્રેશ દૂર્ઘટના અંગે મોદી-શાહ-CMએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

અમદાવાદ / 'દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું' પ્લેન ક્રેશ દૂર્ઘટના અંગે મોદી-શાહ-CMએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Dinesh Chaudhary

Last Updated: 04:39 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિમાન દુર્ઘટનાને દુખદ ગણાવી છે. તેમણે લખ્યું છે કે, 'અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છુ'

ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા મોટી દુર્ઘટના ઘટી છે.જે દુ:ખદ ઘટનામાં 100થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં શોકનો સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ સમગ્ર ઘટનાને દુ:ખદ ગણાવી છે.

'દુર્ઘટનાએ સ્તબ્ધ અને દુઃખી'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિમાન દુર્ઘટનાને દુખદ ગણાવી છે. તેમણે લખ્યું છે કે, 'અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.

અમિત શાહે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું છે કે, 'અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખ શબ્દમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ અંગે કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી.

આ પણ વાંચો: અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: ઇમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

'વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરી લખ્યું છે કે, 'અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે.માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. માહિતી અનુસાર, વિજય રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની સંભાવના છે'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Air India Plane Crash Plane Crash Ahmedabad
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ