ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જગન્નાથ મંદિર હાથી વિવાદ મામલે સરકાર એક્શનમાં, નિષ્ણાંતોની ટીમ મોકલી હાથીઓનું ચેકિંગ, કરશે કડક કાર્યવાહી
Last Updated: 10:22 PM, 29 June 2025
ADVERTISEMENT
તાજેતરમાં અમદાવાદ માં રથયાત્રાદરમિયાન ગજરાજ બેકાબુ બનતા દોડધામ મચી જવા પામી છે. જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવેલ હાથીનું તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પશુપાલન વિભાગની ટીમો દ્વારા હાથીનું ચેકીંગ હાથ ધરાયું હતું.
ADVERTISEMENT
જગન્નાથ મંદિરમાં ગજરાજને નિર્દય રીતે મારમારવાના કેસના પડઘા. ફોરેસ્ટ અને પશુપાલન વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા. વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રિપોર્ટ સોંપાશે#jagannathtemple #jagannath #ahmedabad #elephant #Reels #shorts #trendingvideo #ahmedabadnews #Gujarat #Gujaratinews #VTVDigital pic.twitter.com/mREi30sLA2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2025
જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા હાથીનું ચેકીંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, હાથીની શારીરિક અને માનસિક સ્થિતિનું ચેકીંગ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ફોરેસ્ટ વિભાગની ટીમે અત્યાધુનિક સેન્સર મશીન દ્વારા હાથીના વિવિધ પરિક્ષણ કર્યા હતા. હાથીની આંતરિક અને બાહ્ય ઇજાઓ તપાસ કરવામાં આવી હતી. હાથી મહાવતનો કમાન્ડ લઈ રહ્યા છે કે નઈ તેની પણ વિશેષ તપાસ કરવામાં આવી હતી.
ગજરાજને માર મારવાની ઘટના અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કરી સ્પષ્ટતા#dilipdasjimaharaj #ahmedabad #elecphantvideo #viralvideo #jagannathtemple #Gujarat #trendingvideo #VTVDigital pic.twitter.com/mo2WalwMah
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2025
ADVERTISEMENT
10થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યાં
અમદાવાદ ગાયકવાડ પોલીસે અરજીના આધારે ગજરાજને માર મારવા સંદર્ભે તપાસ હાથ ધરી છે. આ તપાસમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યાં છે. પોલીસે આ વીડિયો ક્યારનો છે અને હાથીને દંડાથી માર મારનાર મહાવત કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વીડિયો રથયાત્રા અગાઉનો હોવાની પણ શંકા છે. પોલીસ જે મહાવતને શોધી રહી છે તે હાલ મંદિરના હાથીખાનામાં નથી. જેથી આ વીડિયો ક્યારનો છે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT

રથયાત્રામાં જે ભડક્યા હતા તે આ ગજરાજ નથી
ADVERTISEMENT
આ ઘટના અંગે જગન્નાથ મંદિરના મહંત દીલિપદાસજીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મહાવતે હાથીને શાંત કરવા દંડાનો ઉપયોગ કર્યો હતો. ગજરાજને શાંત કરવાની કેટલીક ટેકનીક હોય છે.
આ પણ વાંચો : સરધારમાં લુખ્ખાઓથી વેપારી એટલા કંટાળ્યા કે ધંધા જ બંધ કરી દીધા
ADVERTISEMENT
મહાવત સારી રીતે જાણે છે કે ગજરાજને કેવી રીતે ટ્રેઈન કરી શકાય. ગજરાજોને રાખવા સરળ નથી. અમે વર્ષોથી પ્રેમથી રાખીએ છીએ. રથયાત્રામાં જે ભડક્યા હતા તે આ ગજરાજ નથી.
સંકળાયેલા મુદ્દાઓ