બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પહેલા કેજરીવાલની છાતી પર ગોળી ચાલશે, પછી...', મોડાસાથી પશુપાલક મહાપંચાયતમાં કેજરીવાલનો હુંકાર
Last Updated: 03:53 PM, 23 July 2025
સાબરકાંઠા-અરવલ્લીની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આજે મોડાસાના મેઘરજ ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં AAP દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચ્યા.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે કહ્યું,
'ગુજરાત હવે પરિવર્તન માંગી રહ્યું છે. ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. હવે ગુજરાતમાં વિપક્ષની આમ આદમી પાર્ટી પણ આવી ગઇ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ શેર છે. હવે જ્યારે ગોળી ચાલશે તો પહેલા કેજરીવાલની છાતી પર ગોળી ચાલશે, પછી ખેડૂતોની છાતી પર ગોળી ચાલશે.'
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે કહ્યું,
"આ અમીરોની સરકાર છે, અદાણીની સરકાર છે, અદાણીને બધા કોન્ટ્રાકટ આપે છે. આમ આદમી પાર્ટી ગરીબો, ખેડૂતો, શ્રમિકોની સરકાર છે, અમે તમારા સાથે છીએ, તમારો હક અપાવવા આવ્યા છીએ. જો ખેડૂતો એમના હકની માંગ કરી રહ્યા હતા, તો તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે લાઠી ચલાવવી જોઈએ. આ એમનો અહંકાર છે. તેમના તરફથી અશોક ચૌધરીને એક કરોડ વળતર આપવામાં આવે. સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો પોતાના હકની રજુઆત કરવા ગયા ત્યારે, આ ગરીબ પશુપાલકો ઉપર લાઠી ચલાવીને ટિયરગેસ છોડવામાં આવ્યા."
ADVERTISEMENT

સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ ડેરી સંચાલકો પર પશુપાલકોના નફાના પૈસા ભાજપના 'તાઈફા' પાછળ વાપરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, અને જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની હાંકલ કરી છે. AAP ના નેતાઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સાગરભાઈ રબારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, જ્યાં સુધી પશુપાલકોની 5 મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મજબૂતાઈથી લડત ચાલુ રાખશે. પશુપાલકોને જે કાંઇ પણ જરૂરી સહાય હશે તે પુરી પાડવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે, શું કંઇ મોટું થશે?
અગાઉ કેજરીવાલે એમ કહ્યું હતું કે ડેડિયાાપાડામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને જેલમાં નાંખી દેવાયા છે અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું અને ભગવંત માન ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવા માટે આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.