બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:11 PM, 18 January 2026
Goods Train Derailed: અમદાવાદ મંડળના પાલનપુર-સામખીયાળી ખંડમાં કિડીયાનગર સ્ટેશન (સામખીયાળીથી ચોથું સ્ટેશન) પર શનિવારે મોડી રાતે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા, જેને લીધે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો, હવે તેને સામાન્ય કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, શનિવારે મોડી રાતે 02:25 વાગ્યે ડાઉન લાઇનમાં જતી માલગાડી સંખ્યા STPP/MDCC (લોકો સંખ્યા 49384) ના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા, આ ઘટના પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ટ્રેન અકસ્માતના પગલે અપ અને ડાઉન બંને લાઇન પર રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો.
ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. સદનસીબે માલગાડી હોવાના કારણે પાટા પરથી વેગન ઉતરી જવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ રાહત ટ્રેન સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને મંડળ રેલ પ્રબંધક પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
ADVERTISEMENT

દરમિયાન કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી તો એક ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી અને એક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી. આ પછી ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી અને સવારે 08:05 વાગ્યે અપ અને ડાઉન બંને લાઇન પર રેલ પરિચાલન પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વૈષ્ણોદેવી બ્રિજ પર ભયાનક અકસ્માત , ST બસ–ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર, એકનું મોત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.