બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદે વૃદ્ધનો આપ*ત, પરિવારજનો પર ત્રાસનો આક્ષેપ
Last Updated: 08:37 AM, 18 January 2026
Junagadh News: જુનાગઢના વંથલી ગામમાંથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં વંથલીના ગાદોઈ ગામના કરસનભાઇ કટારિયા નામના વ્યક્તિએ આત્મહટ્યા કરતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ જમીનના મુદ્દે ત્રાસી ગયેલા આ વૃદ્ધે આપઘાત કર્યો છે
ADVERTISEMENT
વધુ મળતી વિગત મુજબ જમીનના 20 વર્ષથી ચાલી આવતા વિવાદને અંતે આખરે કંટાળીને ગાદોઈ ગામના કરસનભાઇ કટારિયાએ આપઘાત કર્યો છે. અઢી વીઘા જમીન માટે તેમના ભાઈ અને તેમના દીકરાઓ દ્વારા માનસિક રીતે હેરાન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. સંબધીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે વૃદ્ધે મોતને ભેટતા મૃતકના દીકરાએ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને જેમાં SRP જવાન સહિત પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
મૃતકના દીકરાની ફરિયાદના પગલે વંથલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ સીમમાં આવેલી ખેતીની જમીન નામે કરવા માટે તેમના ભાઈ અને SRP કર્મચારી સહિત કુલ 5 લોકો તેમને માનસિક ત્રાસ આપી રહ્યા હત અને અંતે કંટાળીને 16 દિવસ પહેલા જ તેમણે પોતાના ઘરમાં જ ગળે ફાંસોખલી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ કરસનભાઇના દીકરા નિલેશભાઈએ કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કરસનભાઈના દીકરાએ જણાવ્યું હતું કે પિતા કરશનભાઇ અને તેમની 2 બહેનોના નામે વંથલીના ગાદોઈ ગામની સીમમાં સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. જે જમીન આશરે 20 વર્ષ પહેલા કરશનભાઈએ તેના કાકાના દીકરા દુર્લભભાઈને વાવવા માટે આપી હતી. ત્યારબાદ જ્યારે કરસન ભાઈએ તેમની જમીન પાછી માંગી ત્યારે તેમણે આપવાની ના પાડી દીધી હતી. અને તેમના કાકાના દીકરા આ જમીન તેમણે નામે કરી આપવા માટેકરસંભાઈ પર ખૂબ દબાણ કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેના પગલે તેમણે આપઘાત કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.