બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા અને ખેડાના 50થી વધુ લોકો સુરક્ષિત પરત, અમદાવાદ એરપોર્ટ પહોંચતા રાહત
Last Updated: 09:55 AM, 5 March 2026
Gujarat Passengers: સાબરકાંઠા અને ખેડા જિલ્લાના 50થી વધુ લોકો દુબઈમાં ફસાઈ ગયા બાદ હવે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા પરિવારજનો અને સગાસંબંધીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મુસાફરોમાં સાબરકાંઠાના વડાલી વિસ્તારના લક્ષ્મીપુરાકંપા, વડાલી કંપા અને કલોલ કંપાના 20થી વધુ લોકો સામેલ હતા. આ લોકો થોડા દિવસ પહેલાં પ્રવાસ માટે દુબઈ ગયા હતા. બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદ વિસ્તારના પણ 30થી વધુ લોકો દુબઈમાં અટવાઈ ગયા હતા.
ADVERTISEMENT

પ્રાપ્ત થતી માહિતી મુજબ આ તમામ મુસાફરોની દુબઈથી ભારત આવવાની ફ્લાઇટ 3 માર્ચની સવારે હતી. પરંતુ અચાનક ફ્લાઇટ રદ થઈ જતા તમામ મુસાફરો દુબઈમાં જ ફસાઈ ગયા હતા. ફ્લાઇટ રદ થવાના કારણે તેમને એકથી વધુ દિવસ સુધી ત્યાં રાહ જોવી પડી હતી. મુસાફરોને રહેવા અને પરત આવવા અંગે શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.
ADVERTISEMENT
આખરે આજે બીજી વ્યવસ્થા થવાથી તમામ મુસાફરો ભારત પરત ફરવામાં સફળ રહ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ પર પહોંચ્યા બાદ કેટલાક મુસાફરોએ પોતાનો અનુભવ જણાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે ઝડપથી વાયરલ પણ થયો છે.
ADVERTISEMENT

મુસાફરો સુરક્ષિત રીતે પરત ફરતા તેમના પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા દિવસોની ચિંતા બાદ હવે બધા લોકો પોતાના ઘરે પરત ફર્યા હોવાથી ગામ અને પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.