બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ, કુલ 33 સ્ટુડન્ટ બન્યા ભોગ
Last Updated: 07:33 PM, 13 June 2025
અમદાવાદ પ્લેન ક્રેશ થતાં 4 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા છે. 2 ડૉક્ટર હજુ મિસિંગ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલમાં 33 ડૉક્ટરો હાજર હતા. ડૉકટરોનું એક લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હોસ્ટેલમાં પહેલા વર્ષના અને બીજા વર્ષના સ્ટુડન્ટ હાજર હતા.
ADVERTISEMENT
33 સ્ટુડન્ટ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ભોગ બન્યા
ADVERTISEMENT
પહેલા વર્ષના 14 અને બીજા વર્ષના 13 સ્ટુડન્ટ હોસ્ટલમાં હાજર હતા. ત્યારે કુલ 33 સ્ટુડન્ટ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે રાત્રે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'એરક્રાફ્ટમાં સવા લાખ લિટર એવિયેશન ફ્યુઅલ હતું. ક્રેશ થયા પછી ધડાકા સાથે આગ લાગી હતી. આ આગના કારણે ગરમી એટલી બઘી હતી કે, એરક્રાફ્ટને એકપણ પ્રવાસીને બચાવી શકાયા નથી. જો કે એક પ્રવાસીનો બચાવ થયો છે અને તેની સાથે મળીને મેં રૂબરૂ વાતચીત કરી છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલમાં ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી હતી. નવી દિલ્હી જવા રવાના થતાં પહેલાં તેમણે અમદાવાદ એરપોર્ટ ખાતે DGCA, AAI તેમજ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને એરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાની તપાસ ઝડપથી કરવા અને તેના કારણો તપાસવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોના DNA સેમ્પલ તેમજ મૃતદેહને મેચ કરીને સોંપી દેવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા પણ નરેન્દ્ર મોદીએ સૂચના આપી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો: Ahmedabad Plane Crash માટે મોટો ખુલાસો, પાઈલટ્સે પ્લેન અંગે પહેલા જ કરી હતી ફરિયાદ
પાયલટ પોતે કોઇ એક્શન લે તે પહેલાં તો ધડામ..!
ADVERTISEMENT
એવિયેશન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હાલ પુરતું પ્રાથમિક કારણ પ્લેનના બન્ને એન્જિનમાં સર્જાયેલી ક્ષતિ બહાર આવી છે. એવું પણ બહાર આવ્યું છે કે પ્લેનનું યોગ્ય મેનન્ટેનન્સ કરવામાં બેદરકારી હોવાનું પણ જોવાઇ રહ્યું છે. ફ્લાઇટ 600 ફુટથી વધારે ઉંચાઇ પર ગયા પછી આગળ વધી શકી નહીં અને ત્યાંથી નીચે સરક્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટને ટેકનિકલ ખામી જણાતા એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને મેસેજ આપ્યા હતા જો કે પાયલટ પોતે કોઇ એક્શન લે તે પહેલાં 30 સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું અને તે મેઘાણીનગરમાં મેડીકલ હોસ્ટેલના બિલ્ડીંગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં મુસાફરી કરતાં 242 પૈકી 241 મુસાફરો સહિત ઘટના સ્થળે થયેલી જાનહાનિ મળીને કુલ 265થી વધુ નિર્દોષ લોકોનું કમકમાટીભર્યું મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.