બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું 'દર વર્ષની જેમ...'

Rath Yatra 2025 / રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું 'દર વર્ષની જેમ...'

Vidhata Gothi

Last Updated: 02:04 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rath Yatra 2025: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વર્ષે રથયાત્રા સાદાઈથી નીકળશે. ત્યારે અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીનું નિવેદન સામે આવ્યું છે.

Ahmedabad Rath Yatra 2025: અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથોને નવું રૂપ આપવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.

rath

આ વર્ષે નવનિર્મિત રથોનું બીજું વર્ષ હોવાથી, રથોની સફાઈ અને સ્પ્રેકલર દ્વારા રંગરોગાનની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, રથયાત્રા દરમિયાન કોઈ ખામી ન સર્જાય તે માટે જરૂરી સમારકામનું કામ પણ કરાયું છે. જો કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ વર્ષે યોજાનારી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી શક્યતાઓ છે.

Vtv App Promotion 2

આ બધા વચ્ચે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રથયાત્રા સાદગીથી કે ઝાંખીઓ સાથે નીકળશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે કહ્યું, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે એક મોટી દુર્ઘટના ઘટી છે. હાલમાં રથ યાત્રા મુદ્દે સરકાર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલમાં સરકાર અને તંત્ર પણ વ્યસ્ત છે. એટલે જયારે આ અંગે કોઈ નિર્ણય લેવાશે ત્યારે અમે આપ સૌને જણાવીશું. એટલે એ રીતે જે નિર્ણય લેવામાં આવશે એ રીતે આ વર્ષે રથયાત્રા નીકળશે. મંદિરની પરંપરા પ્રમાણે મંદિર દ્વારા તો બધી જ તૈયારીઓ ચાલી રહી છે. પણ નિર્ણય જયારે આવશે ત્યારે જણાવવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ 10 મૃતદેહની નથી થઈ રહી ઓળખ, કુલ 190 લોકોના DNA થયા મેચ

રથયાત્રાને સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે અંગે રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાઈ શકે છે. જો કે, આ મુદ્દે કોઈ જાહેરાત કરાઈ નથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે, સાદગી પૂર્ણ યોજાય તો કદાચ ટેબ્લોનું પણ આયોજન ન પણ હોઈ શકે. તો બીજી તરફ નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rath Yatra 2025 Ahmedabad Rath Yatra 2025 Ahmedabad Jagannath Rath Yatra
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ