બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશઃ 10 મૃતદેહની નથી થઈ રહી ઓળખ, કુલ 190 લોકોના DNA થયા મેચ
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો પાસેથી DNA મેચ કરીને મૃતદેહો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સિવિલ હોસ્પિટલની કામગીરી પર સુપરિટેન્ડેન્ટને પત્રકાર પરિષદમાં DNA મેચ અને મૃતદેહોની ઓળખ સહિતની માહિતી આપી હતી.
ADVERTISEMENT
કુલ 190 લોકોના DNA મેચ થયા
સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'મુજબ કુલ 190 લોકોના DNA મેચ થયા છે. જેમાંથી બે લોકલ સહિત કુલ 159 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. હાલ 35 મૃતદેહ વેઈટિંગમાં છે. જેમાંથી 5 મૃતદેહોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશઃ 10 મૃતદેહની નથી થઈ રહી ઓળખ, કુલ 190 લોકોના DNA થયા મેચ#ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/pJYSKmTUwo
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2025
15 લોકો બીજા સગાની રાહ જોઈ રહ્યા છે
ADVERTISEMENT
આ ઉપરાંત 15 લોકો બીજા સગાની રાહ જોઈ રહ્યા છે. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે, 10 મૃતદેહો એવા પણ છે જેના સગાના કોઈ સમાચાર નથી. જે કુલ મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાં 123 ભારતીયો હતા જ્યારે 4 પોર્ટુગીઝ, 27 યુકેના તેમજ એક કેનેડિયન અને 4 નોન પેસેન્જર હતા. મોટા ભાગના પાર્થિવદેહને બાય રોડ મારફતે મોકલાયા હતા. જ્યારે વિદેશના મૃતદેહોને પ્લેન મારફતે મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT
સાત દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમારને હાલ રજા આપવામાં આવી છે. જો કે પ્લેનની દુર્ઘટનામાં વિશ્વાસના ભાઈનો મૃત્યું થયું તેની કોઈ ભાળ હજુ સુધી મળી નથી. હાલ DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ પછી જ તેની ઓળખ થઈ શકે છે. નોંધનીય છે કે, હોસ્પિટલમાં કુલ 9 દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી વિશ્વાસને રજા આપી દેવામાં આવી છે જ્યારે અન્ય સાત દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ એક દર્દીનું મોત થયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રસ્તાઓ તૂટ્યા, વીજ પુરવઠો ખોરવાયો, STની 194 ટ્રીપ કેન્સલ
12 જૂને બની હતી ગોઝારી ઘટના
ADVERTISEMENT
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ મેઘાણીનગરમાં એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ નં. 171 ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેનમાં 12 ક્રૂ-મેમ્બર સહિત 242 લોકો હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 279 લોકોના મોત થયા છે. અમદાવાદ બનેલી પ્લેન ક્રેશની ઘટના એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ભયાનક પ્લેન ક્રેશમાંની એક દુર્ઘટના હતી.
આ રીતે બની હતી દુર્ઘટના
એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પ્લેન અકસ્માતનો ભોગ બન્યું અને એરપોર્ટ નજીક એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું હતું. આ અકસ્માતને કારણે, પ્લેનના આગળના ભાગને જ નુકસાન થયું ન હતું, પરંતુ મેડિકલ હોસ્ટેલને પણ ઘણું નુકસાન થયું. પ્લેનમાં સવાર 242 લોકોમાંથી, આ પ્લેન ક્રેશમાં 241 લોકો મૃત્યુ પામ્યા અને જે મેડિકલ હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું તેના 38 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.