મહામારીને કારણે આવેલ સંકટ બાદ ગુજરાત સરકારે પાંજરાપોળ માટે ઘણા મોટા નિર્ણય લીધા છે. આવો જાણીએ સરકારે પાંજરાપોળ માટે શું શું સહાયની કરી જાહેરાત?
રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય
પાજરાપોળોને સ્વાવલંબી બનાવવા લેવાયો નિર્ણય
પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે યોજના
રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે.
શું શું આપશે સહાય?
પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર આપશે સહાય
સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે અપાશે સહાય
ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય
ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય
ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે
સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય