બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સામુહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, મોટાપાયે પૈસાની ઉઘરાણી થતા કર્યો આપઘાત
Last Updated: 09:44 AM, 28 July 2026
રાજકોટ શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નિવૃત્ત PWD કર્મચારી દિલીપભાઈ ખખ્ખર, તેમની પત્ની સ્મિતાબેન ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખરના મૃતદેહ મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને મળતી પ્રાથમિક માહિતી મુજબ પરિવારના પુત્રે અનેક લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા અને છેલ્લા કેટલાક સમયથી દેવું પરત માંગવા માટે લોકો સતત સંપર્ક કરી રહ્યા હતા. જોકે, પોલીસે હજુ સુધી આર્થિક કારણોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તમામ પાસાઓની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે પરિવારજનોના નિવેદન લીધા
પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી હજુ સુધી સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ દર્શાવતો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. ફોરેન્સિક તપાસ, પુરાવાઓનું સંકલન અને પરિવારજનો તેમજ સંબંધિત લોકોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
ADVERTISEMENT
2018માં પણ પરિવારના મોટા પુત્રે કર્યો હતો આપઘાત
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ પરિવારના મોટા પુત્ર પરાગ ખખ્ખરે આપઘાત કર્યો હતો. હવે ફરી એકવાર પરિવારના ત્રણ સભ્યોના અકાળે મૃત્યુથી સગા-સંબંધીઓ અને પરિચિતોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાલીઓ માટે રાહતના સમાચાર! ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નહીં
પોલીસે જણાવ્યું છે કે હાલ તમામ સંભવિત કારણોની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.