બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શિવલિંગ સામે જ કેમ બિરાજે છે નંદી? શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં જાણો નંદીના જન્મની રસપ્રદ કથા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શિવલિંગ સામે જ કેમ બિરાજે છે નંદી? શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં જાણો નંદીના જન્મની રસપ્રદ કથા

Last Updated: 09:58 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શિવના મંદિરમાં લોકો જયારે દર્શન માટે જાય છે ત્યારે સામે પહેલા નંદી મહારાજ દેખાય છે. આ નંદી મહારાજનો જન્મ કેવી રીતે થયો આજે તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. શિવાલયમાં નંદી

શ્રાવણ મહિનામાં ભગવાન શિવના મંદિરમાં પગ મૂકતાં જ ભક્તોની નજર સૌપ્રથમ શિવલિંગ આગળ બેઠેલા નંદી મહારાજ પર પડે છે. પૂજા બાદ ઘણા ભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ નંદીનો જન્મ કેવી રીતે થયો અને દરેક શિવમંદિરમાં તેમની મૂર્તિ કેમ સ્થાપિત કરવામાં આવે છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઋષિ શિલાદની તપસ્યાથી નંદી જન્મ્યા

પૌરાણિક કથા મુજબ, બ્રહ્મચારી ઋષિ શિલાદને સંતાનની ઈચ્છા હતી. આથી તેમને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. જેમાં પ્રસન્ન થઈને શિવજીએ તેમને પુત્રનું વરદાન આપ્યું હતું. થોડા સમય બાદ ખેતર ખેડતી વખતે ઋષિ શિલાદને એક દિવ્ય બાળક મળ્યો હતો. તેમને તેને પોતાનો પુત્ર માનીને નંદી નામ આપ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આયુ ટૂંકી

આ કથા અનુસાર, સંતોએ કહ્યું કે નંદીની આયુ ટૂંકી છે. આ સાંભળીને નંદી ડરવાને બદલે ભગવાન શિવની કઠોર તપસ્યામાં લાગી ગયા. તેમની અદ્ભુત ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને કહ્યું કે નંદી તેમના જ અંશ છે આથી તેમને મૃત્યુનો કોઈ ભય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેવી રીતે બન્યા શિવના વાહન?

જ્યારે શિવજીએ નંદીને વરદાન માગવા કહ્યું ત્યારે તેમને માત્ર એક જ ઈચ્છા વ્યક્ત કરી કે, જીવનભર ભગવાન શિવની સેવા કરવાની. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પોતાના વાહન અને મુખ્ય ગણ બનાવી દીધા. ત્યારથી જ દરેક શિવમંદિરમાં શિવલિંગની સામે નંદીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નંદીના કાનમાં કેમ કહેવાય છે મનોકામના?

એવી માન્યતા છે કે ભગવાન શિવ અક્સર ગહન ધ્યાનમાં રહે છે. આવી સ્થિતિમાં ભક્તો પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે. નંદી તેને યોગ્ય સમયે શિવજી સુધી પહોંચાડે છે. શ્રાવણના મહિનામાં આ પરંપરા વિશેષ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shiva Nandi Maharaj Shravan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ