બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ટોલ પ્લાઝા પર મળશે રાહત કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / ટોલ પ્લાઝા પર મળશે રાહત કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

Last Updated: 09:25 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે દરેક વાહનચાલકના મનમાં એ પ્રશ્ન જરૂરથી ઊઠતો હોય છે કે શું ક્યારેય દેશમાં ટોલ ટેક્સ નાબૂદ થશે? આ અંગે કેન્દ્ર સરકારે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

1/5

photoStories-logo

1. ટોલ પ્લાઝા પર મળશે રાહત કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

દેશભરના નેશનલ હાઇવે પરથી ટોલ ટેક્સ ક્યારે સસ્પિશયસ રીતે નાબૂદ થશે? આ સવાલનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે નેશનલ હાઇવે પરથી ટોલ કલેક્શન બંધ કરવાની કે ટોલ પ્લાઝા હટાવવાની સરકારની કોઈ યોજના નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ બનેલા પ્રોજેક્ટ્સમાં કન્સેશન સમયગાળો પૂર્ણ થયા બાદ પણ અને સરકારી ભંડોળથી બનેલા હાઇવે પર પણ નિયમો અનુસાર ટોલ વસૂલાત ચાલુ જ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સરકારે દર્શાવ્યા બે મહત્વના કારણો

સરકારે સમજાવ્યું છે કે વાહન કર (Vehicle Tax) અને ટોલ ફી (Toll Fee) બંને સંપૂર્ણપણે અલગ પ્રકારના ચાર્જ છે. વાહન કર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા બંધારણની જોગવાઈઓ મુજબ લેવામાં આવે છે, જ્યારે વાહન રજિસ્ટ્રેશન ફી સેન્ટ્રલ મોટર વહીકલ રૂલ્સ, 1989 હેઠળ નક્કી થાય છે. આ નેશનલ હાઇવેનો ઉપયોગ કરવા બદલ વાહનચાલકો પાસેથી લેવામાં આવતી 'યુઝર ફી' છે, જે નેશનલ હાઇવે ફી (રેટ ડિટરમિનેશન એન્ડ કલેક્શન) રૂલ્સ, 2008 હેઠળ વસૂલવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કન્સેશન પિરિયડ પૂરો થયા પછી પણ લેવાશે ટોલ

ખાનગી કંપનીઓ દ્વારા કરાર હેઠળ બનાવાયેલા હાઇવે પર નિર્ધારિત સમયગાળા સુધી કંપની ટોલ વસૂલે છે. પરંતુ આ સમયગાળો પૂરો થયા પછી ટોલ પ્લાઝા સરકાર અથવા અધિકૃત એજન્સીને સોંપવામાં આવે છે, જે નિયમો અનુસાર આગળ પણ ટોલ એકત્રિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ટોલના નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે?

સરકારના જણાવ્યા મુજબ, એકત્રિત કરાયેલ ટોલની રકમ ભારતના સંચિત ભંડોળ (Consolidated Fund of India) માં જમા થાય છે. ત્યારબાદ બજેટ ફાળવણી દ્વારા આ નાણાંનો ઉપયોગ નેશનલ હાઇવેની જાળવણી અને સમારકામ (Maintenance & Repair), રસ્તાઓનું પહોળાકરણ અને વિકાસ, (Widening & Expansion), નવા પ્રોજેક્ટ્સનું નિર્માણ (New Projects).

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દેશભરમાં ટોલ પ્લાઝા ચાલુ રહેશે

સરકારનું માનવું છે કે હાઇવેના સતત વિકાસ અને રક્ષણ માટે ટોલ વ્યવસ્થા એક આવશ્યક નાણાકીય સ્ત્રોત છે, તેથી વર્તમાન નિયમો અનુસાર દેશભરમાં ટોલ પ્લાઝા ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TollTax ParliamentNews TollPlaza
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ