બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'એનિમલ'નો ખૂંખાર વિલન હવે બનશે મારીચ, જાણો કોણ છે 'રામાયણ'નો આ શક્તિશાળી રાક્ષસ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'એનિમલ'નો ખૂંખાર વિલન હવે બનશે મારીચ, જાણો કોણ છે 'રામાયણ'નો આ શક્તિશાળી રાક્ષસ

Last Updated: 09:39 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'રામાયણ'ના ટ્રેલરમાં 'એનિમલ'ના વિલેન સૌરભ સચદેવા મારીચનું પાત્ર ભજવી રહ્યો છે, રણબીર સાથે ફરી સ્ક્રીન શેર કરતા સૌરભનું આ પાત્ર ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે.

1/6

photoStories-logo

1. રામાયણ'નું ટ્રેલર

નિતેશ તિવારીની 'રામાયણ'નું રીલીઝ ટ્રેલર જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર તેની દરેક નાની-મોટી વિગતોની ચર્ચા થઇ રહી છે. જેમાં કોઈ રણબીર કપૂરના ભગવાન રામના લુકની વાત કરે છે તો કોઈ યશના રાવણ અવતારની તારીફ કરે છે. પરંતુ ટ્રેલરમાં એક એવો ચહેરો પણ દેખાયો કે જેને જોઈને 'એનિમલ'ના ફેન્સની યાદો તાજી થઈ ગઈ છે.આ ચહેરો છે સૌરભ સચદેવાનો જેને રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં ખતરનાક વિલેન આબિદ હક બનીને ખૂબ નામ કમાયું હતું. હવે તે જ એક્ટર 'રામાયણ'માં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે .

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રામાયણમાં મારીચનો રોલ

સૌરભ સચદેવા આ ફિલ્મમાં મારીચનું પાત્ર ભજવી રહ્યા છે. આ ટ્રેલરમાં તેમની ઝલક ભલે કેટલાક સેકન્ડની જ હોય, પરંતુ આખી સ્ટોરીમાં તેમનું પાત્ર સૌથી મહત્વના વળાંકોમાંથી એક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સોનેરી હરણ

રાવણના કહેવાથી મારીચ સોનેરી હરણનું રૂપ ધારણ કરે છે. સીતા તે હરણને જોઈને તેને લાવવાની જીદ કરે છે અને ભગવાન રામ તેની પાછળ જતા રહે છે. ત્યારબાદ મારીચ રામના અવાજમાં લક્ષ્મણને પણ કુટિરથી દૂર મોકલી દે છે. આ જ તે ક્ષણ છે જે બાદ રાવણ સીતાહરણ કરે છે અને અહીંથી જ રામ-રાવણ યુદ્ધના પડઘા પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 'એનિમલ'માં રણબીર સાથે લીધી હતી ટક્કર

સૌરભે 'એનિમલ'માં આબિદ હકનું પાત્ર ભજવ્યું હતું. ઓછા સ્ક્રીન ટાઈમ છતાં તેની જોરદાર એક્ટિંગ અને ખતરનાક અંદાજે દર્શકોને આકર્ષ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના કામની ખૂબ તારીફ થઈ હતી. હવે તેઓ ફરી રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે, પરંતુ આ વખતે સ્ટોરી અને પાત્ર બંને સાવ અલગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મારીચ કોણ હતો?

મારીચ રામાયણનો એક માયાવી રાક્ષસ, તાડકાનો પુત્ર અને રાવણનો મામા હતો. તેની મદદથી જ રાવણે સીતાહરણ કર્યું હતું. તે માયાવી શક્તિઓ અને રૂપ બદલવાની કળા માટે પ્રસિદ્ધ હતો. તેને સોનાના મૃગનું રૂપ ધારણ કર્યું હતું જેને જોઈને સીતાજી મોહિત થઈ ગયાં હતાં. શ્રીરામ તે હરણને પકડવા ગયા અને અંતે શ્રીરામના બાણથી મારીચનો અંત થયો હતો. મરતી વખતે તેને શ્રીરામ જેવા અવાજમાં લક્ષ્મણને બુમ પાડી હતી. જેથી ભ્રમિત થઈને લક્ષ્મણ સીતાજીને કુટિમાં એકલાં છોડીને ચાલ્યા ગયા અને રાવણે છલ કરીને સીતાહરણ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રામાયણ ક્યારે થશે રિલીઝ ?

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન, રવિ દુબે લક્ષ્મણ અને રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ દિવાળી 2026માં સિનેમાઘરોમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Marich Saurabh Sachdeva Ramayana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ