બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અજિંક્ય રહાણેના રિટાયરમેન્ટ પર ભાવુક થયા વિરાટ કોહલી, લખ્યો એવો મેસેજ કે...
5 ફોટો ગેલેરી
Last Updated: 12:23 AM, 31 July 2026
1/5
અજિંક્ય રહાણેના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસના નિર્ણયે આખા ક્રિકેટ જગતને ભાવુક કરી દીધું છે. તેના આ એલાન બાદ સાથી ખેલાડીઓ અને પૂર્વ ક્રિકેટર્સે સોશિયલ મીડિયા પર તેમને નવી પારી માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એવામાં વિરાટ કોહલીએ પણ પોતાના જૂના સાથી માટે ખાસ મેસેજ શેર કર્યો હતો .
2/5
3/5
વિરાટ કોહલીએ પોતાના એક્સ એકાઉન્ટ પર રહાણેને તેમના શાનદાર કરિયર માટે અભિનંદન આપતાં લખ્યું કે "ભારતીય ક્રિકેટ માટે તમારું યોગદાન હંમેશા યાદ રહેશે" તેને રહાણેને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના સૌથી ગમતો બેટિંગ પાર્ટનર કહ્યો. આ સિવાય સ્લિપમાં તેમની ફિલ્ડિંગની પણ ખૂબ તારીફ કરી અને કહ્યું કે તેમના કરતાં વધુ સુરક્ષિત હાથ તેમને બહુ ઓછા જોયા છે.
4/5
સચિન તેંડુલકરે પણ રહાણેના સંન્યાસ પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેને લખ્યું કે જ્યારે અમે પહેલી વખત મુંબઈ માટે સાથે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે તમે ક્યારેય લાઈમલાઈટ પાછળ નથી દોડ્યા. તમે હંમેશા ટીમ માટે મહેનત કરવાનું પસંદ કર્યું અને સફળતા તમારી પાસે આવી. ઓસ્ટ્રેલિયામાં આ જ વલણ તમારી સૌથી મોટી તાકાત બન્યું. તમે સાબિત કર્યું કે શાંત રહેવું કમજોરી નથી પરંતુ તે આત્મવિશ્વાસ આપે છે જે આખી ટીમને નિડર બનાવે છે.
5/5
રહાણેને ગુરુવારે એક ભાવુક વીડિયો દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેને પોતાના સમગ્ર સફરને યાદ કરતાં તમામનો આભાર માન્યો જેઓએ તેમનો સાથ આપ્યો હતો. તેને કેપ નંબર 278નો ઉલ્લેખ કરીને વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ