બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / 'મારી મજાક આજે સાચી પડી', VTV પોડકાસ્ટને યાદ કરતા ફિલ્મ 'લાલો' વિશે શું બોલ્યા Dev Pagli?
Last Updated: 10:07 AM, 15 November 2025
Devpagli On Laalo Movie : ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લા કેટલાક સમયથી એક ફિલ્મે ધૂમ મચાવી છે ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Laalo – Krishna Sada Sahaayate). 10 ઑક્ટોબર 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 1 કરોડના સામાન્ય બજેટ સામે 25 કરોડથી વધુનો કલેકશન કરીને ગુજરાતી બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ સર્જી દીધો છે. ભાવનાત્મક વાર્તા, ધાર્મિક સ્પર્શ અને શુદ્ધ સંદેશાવાળી કથા આ ત્રણેય માળખાઓ ફિલ્મને અદ્દભુત લોકપ્રિયતા અપાવી છે. જોકે આ બધાની વચ્ચે હવે રોકસ્ટાર દેવપગલીનું એક જૂનું નિવેદન હાલ સાચું થઈ રહ્યું છે.
ADVERTISEMENT
રોકસ્ટાર દેવપગલીએ એવું તે શું કહ્યું હતું ?
પ્રખ્યાત ગુજરાતી સિંગર અને રોકસ્ટાર દેવપગલી ગોસ્વામીએ લગભગ 6 મહિના પહેલા VTV ન્યૂઝના પોડકાસ્ટમાં એક વાક્ય કહ્યું હતું, જે આજે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું હતું કે, વાર્તા સારી હોય તો 100 કરોડ નહીં, 1000 કરોડ પણ કમાઈ શકો. તે વખતે ઘણાએ મારી મજાક ઉડાવી હતી પરંતુ હવે ‘લાલો’ ફિલ્મની ધમાકેદાર સફળતા પછી તેમની એ વાત હકીકતની નજીક લાગી રહી છે.
ADVERTISEMENT
‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Laalo – Krishna Sada Sahaayate) ફિલ્મ સુપરહિટ થયા પછી દેવપગલીએ ફરી પોતાના Instagram પર તે જ પોડકાસ્ટ શેર કરીને લખ્યું કે, “જ્યારે મેં કહ્યું ત્યારે મજાક બનાવી, આજે ‘લાલો’ 100 કરોડ તરફ આગળ વધી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે, ધાર્મિક અને મેસેજ આપતી ફિલ્મો બનાવો. 10 વર્ષથી મારી પાસે ઘણી ધાર્મિક સ્ટોરી છે, પણ લોકો ડરતા હતા. ’લાલો’ એ સાબિત કર્યું કે ધર્મ આધારિત ફિલ્મો લોકોના દિલ જીતી શકે.” આ સાથે તેમણે આખી ફિલ્મ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે તેઓ રિલીઝ પહેલાંથી જ ફિલ્મને સપોર્ટ કરતા હતા, કારણ કે તેમની નજરે વાર્તા જ સૌથી મોટો હીરો છે.
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા : ભાવના, અધ્યાત્મ અને જીવન મૂલ્યોનો સુંદર સંકલન
ADVERTISEMENT
‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ની કહાણી એક સાધારણ રિક્ષાચાલક ‘લાલો’ની છે, જે પોતાના ભૂતકાળના કરેલા પાપ અને ભૂલોનું ભારણ લઈને જીવતો હોય છે. તે જીવનમાં માર્ગદર્શન, શાંતિ અને સાચો રસ્તો શોધી રહ્યો હોય છે. એ સમયે તેના જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું માર્ગદર્શન તેની જીંદગી બદલવાનું કારણ બને છે.
ફિલ્મમાં જોવા મળતી મુખ્ય વાત ?
ADVERTISEMENT
અહીં જુઓ દેવ પગલીએ VTV પૉડકાસ્ટમાં શું કહ્યું હતું ?
ADVERTISEMENT
‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’એ બતાવી દીધું છે કે, ગુજરાતી સિનેમામાં માત્ર કોમેડી કે મસાલા ફિલ્મો જ નથી ચાલતી. સારુ કન્ટેન્ટ, આધ્યાત્મિકતા અને શુદ્ધ ભાવના હોય તો ફિલ્મ હંમેશ માટે લોકોના દિલમાં રહી શકે છે.

રોકસ્ટાર દેવપગલીએ કહ્યું કે, મારી વાત આજે સાચી સાબિત થઈ કે, "વાર્તા સારી હોય તો બધું શક્ય છે." આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે, ગુજરાતી સિનેમા હવે નવા યુગમાં પ્રવેશી ચૂકી છે, જ્યાં કન્ટેન્ટ જ રાજા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.