બ્રેકિંગ ન્યુઝ
Dussehra : ગુજરાતીઓ જેટલા ગરબા રમાવાના શોખીનો છે તેટલા જ ફાફડા અને જલેબી ખાવાના શોખીનો પણ છે. ગુજરાતીઓ માટે દશેરાનો તહેવાર એટલે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર કહેવાય છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેવી શરૂ થઇ? ચાલો જણાવીએ કે, જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે.
ADVERTISEMENT
વર્ષોથી ચાલી રહી છે પરંપરા
નવરાત્રીના છેલ્લા દિવસે આખી રાત ગરબા રમ્યા બાદ વહેલી સવારે ગુજરાતીઓ ફરસાણની દુકાને પહોંચી જાય છે અને ફાફડા જલેબીની મજા માણે છે.ગુજરાતી સંસ્કૃતિમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ પેઢી દર પેઢીથી ચાલ્યો આવ્યો છે. આ પરંપરા પાછળ ધાર્મિક મહત્ત્વ પણ જોડાયેલું છે. ગુજરાતમાં દશેરાનો તહેવાર ફાફડા-જલેબી ખાધા વગર અધૂરો ગણાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
ADVERTISEMENT

ઉપવાસ તોડવા માટે ખાવાની માન્યતા
ADVERTISEMENT
લોકો ભગવાન શ્રી રામની રાવણ પરની જીતની ઉજવણીના ભાગરુપે આ દિવસે જલેબી ખાય છે. હિંદુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઇએ. જેથી નવરાત્રીના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરુ થઈ હોવાનું કહેવાય છે.

ADVERTISEMENT
ફાફડા જલેબી જ કેમ ખવાય છે?
એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી. તે સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવી હતી. એવી પણ લોકવાયકા છે કે, ભગવાન શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામ માટે ચણાના લોટમાંથી ફાફડા સાથે ગરમ જલેબી બનાવતા હતા. ત્યારથી એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ પૂરા થતાં ઉપવાસનો અંત ચણાનો લોટ એટલે કે ફાફડા અને જલેબી ખાવાથી જ કરવો જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો : દુકાન પર લોકોની લાગી લાંબી કતાર, દશેરાએ ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ
વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે
ADVERTISEMENT
દશેરાએ ફાફડા અને જલેબી ખાવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે, જેમાં આ સિઝનમાં જલેબી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દશેરાના સમયમાં હવામાનમાં ખૂબ જ ફેરફાર આવતા હોય છે. જેના કારણે ઘણા લોકોને માઇગ્રેનની સમસ્યા થઇ જાય છે. ગરમા ગરમ જલેબી ખાવાથી માઇગ્રેનની સમસ્યા દૂર થાય છે. તેમાં ટિરામાઇન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં બ્લડ શુગર લેવલ ડાઉન થઇ જાય છે. પરંતુ જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે જેનો અર્થ એવો પણ નથી તમે ભરપૂર પ્રમાણમાં જલેબી ખાઓ.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.