ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે પાંચ જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજ્યસભામાં ચોખ્ખી હાર ભાળી ગયેલી કોંગ્રેસ 2017ના ઘટનાક્રમનું જાણે પુનરાવર્તન કરવા જઈ રહી છે. મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને બનાસકાંઠામાં આવેલ બાલારામ રિસોર્ટમાં લઈ જઈ રહી છે.
આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો પાઠશાળામાં પાઠ ભણવા માટે બનાસકાંઠાની બાલારામ રિસોર્ટ તરફ રવાના થયા છે. મળતી માહિતી પ્રમાણે, 58 ધારાસભ્યો હાલ બસમાં સવાર થઈને બાલારામ રિપોર્ટ તરફ રવાના થયા છે. જ્યારે 4 ધારાસભ્યો આવતીકાલે જશે. તો 9 ધારાસભ્યો એવા પણ છે જે આ પાઠશાળામાં સામેલ નહીં થાય. તમામ ધારાસભ્યોને મતદાનના મોકપોલ કરવાના બહાને બાલારામ રિસોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, 2017માં જે રીતે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોષ વોટિંગ થયું હતું. તેવી જ રીતે ફરી ક્રોષ વોટિંગના થવાના કોંગ્રેસને ભણકારા વાગી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બાલારામ લઈ જઈ રહી છે. શુક્રવારના સવારે મતદાન સમયે પરત લાવશે.
પરંતુ સવાલ એ જ કે, બાલારામ રિસોર્ટમાં કોંગ્રેસ એવી તે કઈ પાઠશાળા શરૂ કરશે અને કેવા પાઠ ભણાવશે જેથી ક્રોસ વોટિંગ થવાની શક્યતા ઘટી જશે.
બીજી બાજુ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ હવે કહ્યું કે હું કોંગ્રેસનો અધ્યક્ષ નથી. હું અગાઉ જ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચૂક્યો છે. હવે ઝડપથી કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી કરવામાં આવે. એક મહિનામાં કોંગ્રેસના અધ્યક્ષ બની જવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે CWCની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર તો રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી જ દીધી છે. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટર પ્રોફાઈલ પણ બદલી નાંખી છે જેમા તેઓ હવે કોંગ્રેસના અધ્યક્ષ નથી તે સ્પષ્ટ થાય છે.
It is an honour for me to serve the Congress Party, whose values and ideals have served as the lifeblood of our beautiful nation.
I owe the country and my organisation a debt of tremendous gratitude and love.