ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાશે! રીવાબા જાડેજા મંત્રી બની શકે

રાજકારણ / નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાશે! રીવાબા જાડેજા મંત્રી બની શકે

Published By: Jay Bhatt

Last Updated: 02:07 PM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મંત્રીમંડળમાં આવતીકાલે (17 ઓક્ટોબર 2025) મોટો ફેરફાર થવાની ધારણા છે. સૂત્રોના અહેવાલો અનુસાર, આ વખતે મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ થશે તેમજ ઘણાને પ્રમોશન પણ મળશે.

ADVERTISEMENT

Gujarat cabinet expansion: ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માટે આવતીકાલનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે, મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. અનેક મોટા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળશે, જેમાં રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચામાં છે.

રાજકારણમાં નવો વળાંક આવી શકે

સરકાર કાલે તેના મંત્રીમંડળમાં ફેરફાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ફેરફાર આગામી ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આવતીકાલે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે, આ નવા મંત્રીમંડળમાં રિવાબા જાડેજાને સ્થાન મળી શકે છે.

vtv app promotion

રીવાબા જાડેજા મંત્રી બની શકે

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાઈ શકે છે. હાલમાં સૌરાષ્ટ્રમાં ભાનુબેન બાબરીયા અને મૂળુ બેરાના નામ કપાઈ શકે છે. ભાનુબેન બાબરિયાની જગ્યાએ રીવાબા જાડેજા મંત્રી બની શકે છે.

રીવાબા જાડેજા જામનગરના ધારાસભ્ય

રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ગુજરાતમાં સક્રિય નેતા છે. રીવાબાએ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે ઉત્તર જામનગર બેઠક જીતી હતી અને ધારાસભ્ય બન્યા હતા. મહિલા સશક્તિકરણના મુદ્દાઓ પર પોતાના મુદ્દાઓ વ્યક્ત કરવા માટે પણ તેઓ જાણીતા છે.

વધુ વાંચો : કોના ઘરે ફટાકડાં ફૂટશે, કોનું થશે સૂરસૂરિયું? મંત્રીમંડળમાં આ ધારાસભ્યોના નામ હોટ ફેવરિટ

આગામી ચૂંટણીઓ માટે તૈયારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંત્રીમંડળમાં ફેરબદલ 2027ની ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત મંત્રીમંડળમાં વધુમાં વધુ 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે, પરંતુ હાલમાં ફક્ત 17 મંત્રી પદો કાર્યરત છે. બાકીના 10 મંત્રી પદો ખાલી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ખાલી પદોને ભરવામાં આવશે. જોકે, બધા પદો ભરવામાં આવશે નહીં પણ કેટલાક ખાલી રહેશે. નોંધનીય છે કે, 2022 ની વિધાનસભા ચૂંટણી પછી ગુજરાતમાં કોઈ મંત્રીમંડળમાં ફેરફાર થયો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rivaba Jadeja may become minister Gujarat cabinet expansion Big news on cabinet expansion

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ