બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર, જે.જે.પટેલનો 1961 મત સાથે થયો વિજય
Last Updated: 05:55 PM, 15 March 2026
ગુજરાત બાર કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થતાં વકીલ આલમમાં ખુશીની લહેર દોડી છે. આ ચૂંટણીમાં જાણીતા વકીલ જે.જે. પટેલે ક્વોટા પાર કરીને ઐતિહાસિક જીત મેળવી છે. તેમને કુલ 1961 મત મળતાં તેઓ વિજેતા જાહેર થયા છે.
ADVERTISEMENT
વિજય થતા વકીલ આલમમાં ખુશીની લહેર દોડી
ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ તેમના સમર્થકો અને વકીલ મિત્રો વચ્ચે ખુશીનો માહોલ સર્જાયો હતો. અનેક વકીલો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
છેલ્લા 25 વર્ષથી વકીલોના પ્રશ્નો અને હિતો માટે કરે છે કામ
ADVERTISEMENT
જે.જે. પટેલ છેલ્લા 25 વર્ષથી વકીલોના હિત અને તેમના પ્રશ્નો માટે સતત કામ કરતા આવ્યા છે. કોર્ટ સંબંધી સુવિધાઓ, વકીલોને મળતી સહાય તેમજ કાનૂની વ્યવસ્થામાં સુધારા માટે તેમણે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતના ઉમરપાડામાં ચાર શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, અવાવરું જગ્યાએ લઈ જઈને આપ્યો અંજામ
ADVERTISEMENT
જીત બાદ વકીલોનો આભાર માન્યો
તેમની લાંબી સેવાઓ અને વકીલોમાં રહેલી લોકપ્રિયતા કારણે આ ચૂંટણીમાં તેમને મજબૂત સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીત બાદ તેમણે તમામ વકીલોનો આભાર વ્યક્ત કર્યો અને આગળ પણ વકીલ સમાજના હિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ખાતરી આપી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.