બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:25 PM, 12 June 2025
Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. પ્રારંભિક માહિતી મુજબ, આ વિમાનમાં 242 લોકો સવાર હતા. દુર્ઘટના સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિમાન દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અકસ્માતની તીવ્રતાને જોતાં, કોઈના બચવાની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે.
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે પોલીસ કમિશ્નર જી એસ મલિકે જણાવ્યું છે કે, કેટલાક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હત પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તેમને બચાવવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. કમિશનર મલિકે કહ્યું કે, બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ કાટમાળ અને આગની સ્થિતિને જોતાં, પરિસ્થિતિ અત્યંત પડકારજનક રહે છે.
ADVERTISEMENT

ગુરુવારે બપોરે અમદાવાદના મેઘનાનગર વિસ્તારમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી અચાનક નજીકની મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ખૂબ જ નીચું ઉડતું હતું અને સીધું પાંચ માળની ઇમારતો સાથે અથડાયું, જેના કારણે તે ઇમારતોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નજીકની ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. અકસ્માત સમયે બપોરના લગભગ 2 વાગ્યા હતા અને આ સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક આવેલું છે. એવી આશંકા છે કે ઘણા લોકો મૃત્યુ પામ્યા હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.