બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્લેન ક્રેશને લઈ અમિત શાહનું નિવેદન : ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ લિટર ઇંધણને કારણે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી

અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ક્રેશને લઈ અમિત શાહનું નિવેદન : ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ લિટર ઇંધણને કારણે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત, ઘાયલોને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ

ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત અંગે માહિતી આપી

June 12, 2025 21:56

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. આ વિમાનમાં ભારત અને વિદેશના કુલ 230 મુસાફરો, 12 ક્રૂ સભ્યો હતા. માહિતી મળી છે કે આ મુસાફરોમાંથી એક બચી ગયો છે. હું તેને મળ્યો છું. DNA ટેસ્ટ અને ઓળખ પછી જ મૃત્યુઆંક સત્તાવાર રીતે જાહેર કરી શકાય છે. ગુજરાત સરકારે તમામ વિભાગોને એલર્ટ કરી દીધા હતા. બધાએ સાથે મળીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. તેમણે કહ્યું કે, ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ ટન ઇંધણને કારણે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી. મેં ઘટના સ્થળની પણ મુલાકાત લીધી છે. બધાને બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. DNA નમૂના લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. 1,000 થી વધુ DNA ટેસ્ટ કરાવવા પડશે અને તે બધા ગુજરાતમાં કરવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહ ઘાયલોને મળ્યા

June 12, 2025 21:24

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. આ પછી તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી.

પ્લેન ક્રેશમાં બચી ગયેલ વ્યક્તિને મળ્યા અમિત શાહ

June 12, 2025 21:09

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાયલોને મળ્યા જેમાં એક ઘાયલ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જે આજે વહેલી સવારે ક્રેશ થયેલી દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટ AI171નો એકમાત્ર બચી ગયેલો વ્યક્તિ હોવાનું જણાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રએ આપી માહિતી

June 12, 2025 20:46

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રએ કહ્યું કે, DNA મેચ થયા પછી પરિવારોને મૃતદેહ અપાશે. આ સાથે મુસાફરોના પરિવારોને DNA કરવા માટે સૂચના અપાઈ છે. DNA સેમ્પલ લીધા બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, રિપોર્ટ આવતા ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. મૃતકોના સ્વજનોને માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મળશે.

186 મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

June 12, 2025 20:29

અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 1 મૃતદેહો આવી ચૂક્યા છે, જેમાં 3 MBBS વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટનામાં આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ ટાટા ગ્રુપની મોટી જાહેરાત

June 12, 2025 19:37

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિને પરિવારને ટાટા ગ્રુપ તમામ મૃતકોના પરિવારને 1 કરોડની સહાય આપશે. આ સાથે ટાટા ગ્રુપ ઈજાગ્રસ્તોનો સંપૂર્ણ તબીબ ખર્ચ પણ ઉઠાવશે. બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્માણ માટે પણ સહાયની જાહેરાત કરાઇ છે.

અમિત શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા.

June 12, 2025 19:37

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે.

પોલીસને સીટ 11 Aમાં એક જીવિત વ્યક્તિ મળી

June 12, 2025 19:13

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે કે, પોલીસને સીટ 11 Aમાં એક જીવિત વ્યક્તિ મળી આવી છે. એક જીવિત વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

June 12, 2025 18:59

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી

June 12, 2025 18:59

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ આપી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન

June 12, 2025 18:55

અમદાવાદમાં આજે બપોરે 1 વાગ્યાની આસપાસ મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. જેમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્ચમંત્રી વિજય રુપાણી સાથે 242 યાત્રિકો સવાર હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે.

એર ઇન્ડિયાના CEO અમદાવાદ પહોંચ્યા

June 12, 2025 18:50

એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સન દિલ્હીથી પેરિસની ફ્લાઇટમાં હતા, પરંતુ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના સમાચાર મળતાં તેમણે મુસાફરી અધવચ્ચે જ છોડી દીધી હતી. ફ્લાઇટને અધવચ્ચે જ દિલ્હી પરત કરવામાં આવી હતી, જ્યાંથી કેમ્પબેલ વિલ્સન સીધા અમદાવાદ જવા રવાના થયા હતા.

204 મૃતદેહ મળી આવ્યા : પોલીસ કમિશનર

June 12, 2025 18:50

અમદાવાદ પોલીસ કમિશનરે એક ખાનગી મીડિયાને પુષ્ટિ આપી છે કે, વિમાન દુર્ઘટનામાંથી અત્યાર સુધીમાં 204 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 41 લોકો ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને કાટમાળમાં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલમાં આ આંકડો પ્રાથમિક છે અને અંતિમ પુષ્ટિ પછી કરવામાં આવશે. કમિશનરે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે તમામ પીડિતોની ઓળખ કરવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા અનેક લોકોની યાદી સામે આવી

June 12, 2025 18:09

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં ઘણા ઘાયલોની ઓળખ થઈ ગઈ છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી દરમિયાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવેલા મુસાફરો અને સ્થાનિક લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જ્યારે ઘણા લોકોને પ્રાથમિક સારવાર બાદ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

વિમાનમાં અરવલ્લીના ત્રણ લોકો સવાર હતા

June 12, 2025 17:58

ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી પણ વિમાન દુર્ઘટનામાં દુઃખદ સમાચાર આવ્યા છે. જિલ્લાના ત્રણ લોકો વિમાનમાં સવાર હતા, જેમાં મોડાસા શહેરની 35 વર્ષીય નુસરત જહાં જેઠારાનો પણ સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે તે લગભગ એક મહિના પહેલા મોડાસા આવી હતી. મોડાસાના ખંભીસર ગામની જયશ્રીબેન પટેલ પણ આ ફ્લાઇટમાં હતી. તેમના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા અને તેઓ લંડનમાં રહેતા તેમના પતિ પાસે જઈ રહ્યા હતા. ત્રીજા મુસાફર બાયડના કૈલાશબેન પટેલ હતા, જેઓ લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા માટે આ વિમાનમાં રવાના થયા હતા. અકસ્માત બાદ આ ત્રણેય પરિવારોમાં ઘેરો શોક છે, અને પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલની બહાર કોઈ સમાચારની રાહ જોતા જોવા મળ્યા હતા.

ન્યૂઝ એજન્સી APએ કહ્યું તમામના મોત

June 12, 2025 17:47

ન્યૂઝ એજન્સી APએ ટ્વિટ કરીને કહ્યું કે, આ દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયા છે.

ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન અમદાવાદ પહોંચ્યા

June 12, 2025 17:42

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન અમદાવાદ પહોંચ્યા છે. એર ઇન્ડિયા ટાટા ગ્રુપનો એક ભાગ છે અને આ ગંભીર અકસ્માતને ધ્યાનમાં રાખીને, ચંદ્રશેખરન પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જરૂરી સૂચનાઓ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે.

અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા

June 12, 2025 17:42

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થયા

None

June 12, 2025 17:42

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિમાન દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, અકસ્માતની તીવ્રતાને જોતાં કોઈના બચવાની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે. તેમણે કહ્યું કે. કેટલાક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તેમને બચાવવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. કમિશનર મલિકે કહ્યું કે, બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ કાટમાળ અને આગની સ્થિતિને જોતાં પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક બની રહી છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો

June 12, 2025 17:36

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ મૃતદેહોનો ઢગલો થઈ ગયો છે. હવે મૃતદેહોને જૂના ટ્રોમા ખાતે લઈ જવાશે.

CMએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

June 12, 2025 17:29

CM ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા

બચાવ કામગીરીમાં 40 થી વધુ એમ્બ્યુલન્સ અને બે લશ્કરી હોસ્પિટલો સામેલ

June 12, 2025 17:29

ઘટનાસ્થળે સેના અને વાયુસેના દ્વારા 40 થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં રોકાયેલા છે. આ ઉપરાંત, બે લશ્કરી હોસ્પિટલોને બચાવ કામગીરીમાં સંપૂર્ણપણે તૈનાત કરવામાં આવી છે, જ્યાં તમામ ડોકટરો અને તબીબી સ્ટાફ સતત સેવાઓ આપી રહ્યા છે. આ સંકલિત પ્રયાસ રાહત કાર્યને ઝડપથી આગળ વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ ફરી ખુલ્યું

June 12, 2025 17:09

અમદાવાદ એરપોર્ટ ફરી ખુલી ગયું છે. વિમાન દુર્ઘટના પછી સાવચેતી રૂપે થોડા સમય માટે ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી પરંતુ હવે રનવે અને અન્ય તકનીકી વ્યવસ્થાઓની તપાસ કર્યા પછી એરપોર્ટ ફરીથી કામગીરી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધાઓ અને ફ્લાઇટ સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે, અને તમામ સલામતી ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

પ્લેન દુર્ઘટના સંબંધે રાજકોટ જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર

June 12, 2025 17:05

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ અન્વયે રાજકોટ જિલ્લાનાં નાગરિકો માટે જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઇન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ તથા અમદાવાદ શહેર પોલીસ નંબર ૦૭૯-૨૫૬૨૦૩૫૯ જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી અમદાવાદ સિવિલ પહોંચ્યા

June 12, 2025 16:50

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં વિમાન દુર્ઘટનાના ઘાયલોને લાવવામાં આવ્યા છે.

બ્રિટનના પીએમએ X પર દુ:ખ વ્યકત કર્યું

June 12, 2025 16:25

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈ બ્રિટનના પીએમએ X પર દુ:ખ વ્યકત કર્યું છે.

શું કહ્યું વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ?

June 12, 2025 16:21

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની સાક્ષી રમીલાએ જણાવ્યું કે, તેમનો પુત્ર લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો, ત્યારે વિમાન ત્યાં ક્રેશ થયું. તેમણે કહ્યું, મારો પુત્ર સુરક્ષિત છે, મેં તેની સાથે વાત કરી છે. તેણે બીજા માળેથી કૂદી પડ્યો, જેના કારણે તેને થોડી ઈજાઓ થઈ છે. ઘટનાની માહિતી મળતા જ રમીલા તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ.

PM મોદીએ કર્યું ટ્વિટ

June 12, 2025 16:11

અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.

મેડિકલ કોલેજ સાથે વિમાન અથડાયું

June 12, 2025 16:06

અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રૂ સાથે જોડાયેલી કેબિન ક્રેશની ઘટનાએ મેડિકલ જગતને પણ હચમચાવી નાખ્યું કારણ કે આ અકસ્માત મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયા બાદ થયો હતો. અકસ્માત સમયે ઘણા સ્ટાફ સભ્યો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ બિલ્ડિંગમાં હાજર હતા. અકસ્માત પછી બહાર આવેલી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેડિકલ કોલેજની બહારની દિવાલો અને બારીઓને ભારે નુકસાન થયું છે. ઇમારતના આખા માળને નુકસાન થયું હતું, જેના કારણે કાટમાળ ચારે બાજુ ફેલાયેલો હતો. રાહત અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

અમદાવાદમાં CISF બચાવ કામગીરી ચાલુ

June 12, 2025 16:06

અમદાવાદ એરપોર્ટ નજીક લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ના દુ:ખદ અકસ્માત બાદ CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) એ તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ સક્રિય કર્યો અને અકસ્માત સ્થળનો હવાલો સંભાળી લીધો. CISF એ અકસ્માત સ્થળની તસવીરો ટ્વીટ કરી છે અને માહિતી આપી છે. CISF એ કહ્યું છે કે તેઓ આ દુઃખદ ઘડીમાં પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભા છે અને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

PM મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ

June 12, 2025 15:59

આ તરફ હવે આજે રાત્રે 9 વાગે PM મોદી અને સાંજે 6 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે.

એર ઇન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લેક કરી દીધા

June 12, 2025 15:53

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લેક આઉટ કરી દીધા છે.

અદાણીએ કર્યું ટ્વિટ

June 12, 2025 15:48

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું, "એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ની દુર્ઘટનાથી અમે આઘાત અને ખૂબ જ દુઃખી છીએ.

અમિત શાહે કર્યું ટ્વિટ

June 12, 2025 15:48

અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાને લઈ આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી.

કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સાંજે 5:30 વાગ્યે પહોંચશે અમદાવાદ

June 12, 2025 15:44

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાંજે 5.30 વાગ્યા સુધીમાં અકસ્માત સ્થળે પહોંચશે.

એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

June 12, 2025 15:44

અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે એર ઇન્ડિયાએ એક સમર્પિત પેસેન્જર હેલ્પલાઇન નંબર 1800 5691 444 જારી કર્યો છે. તે જ સમયે, માહિતી આવી રહી છે કે NDRF, BSF ઉપરાંત સેનાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

કંટ્રોલ રૂમ કાર્યરત

June 12, 2025 15:43

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

દોઢ કિ.મી.નો વિસ્તાર સામાન્ય લોકો માટે બંધ કરાયો

June 12, 2025 15:43

ગુરુવાર અને 12 જૂન, 2025ના બપોર 1.38 વાગ્યે ટેકઓફ થયેલી આ ફ્લાઇટમાં 242 પેસેન્જર અને ક્રુ મેમ્બર સવાર હતા. જેમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝનો સમાવેશ થાય છે.

પ્લેનના બ્લેક બોક્સ શોધવા મથામણ

June 12, 2025 15:41

એરપોર્ટ અને એરલાઇન્સનો સ્ટાફ બ્લેક બોક્સ શોધી રહ્યો છે. આ પ્લેનમાં પ્લેનના અંતિમ ક્ષણોની વાતો રેકોર્ડ હોય છે.

20 વિદ્યાર્થીઓના મોત

June 12, 2025 15:37

હોસ્ટેલ પર વિમાન ક્રેશ: BJ મેડિકલ કોલેજના 20 વિદ્યાર્થીઓના મોત

અમદાવાદ શહેર પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી નંબર

June 12, 2025 15:28

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર - 0792562035

ભારતીયોની સાથે વિદેશી લોકો પણ હતા વિમાનમાં સવાર

June 12, 2025 15:28

ભારતમાં ક્રેશ થયેલા વિમાનમાં ઓછામાં ઓછા 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા.

પાઇલટે ક્રેશ પહેલા સિગ્નલ આપ્યો હતો પણ...

June 12, 2025 15:24

ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. અકસ્માત સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે. દરમિયાન વિમાન દુર્ઘટના અંગે અનેક પ્રકારની માહિતી સામે આવી છે જેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે દુર્ઘટના પહેલા વિમાનના પાયલોટે નજીકના ATC ને એક સંકેત મોકલ્યો હતો, જે ખતરાની નિશાની હતી અને તેના થોડીવાર પછી વિમાન ક્રેશ થઈ ગયું.

તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

June 12, 2025 15:23

હાલ અમદાવાદ ઘટના સ્થળેથી મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે. ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ સીઆરપીએફ નેવી ઓફિસર સહિતના તમામ મોટા પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે છે અને એક મોટી ટીમ સેવા આપી રહી છે.

દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી

June 12, 2025 15:20

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત

June 12, 2025 15:14

મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ

June 12, 2025 15:12

આ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે. જેમાં કહ્યું છે કે, એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે. તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. પેસેન્જર્સે તેમની ફ્લાઇટ્સ લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી લેવી.

પૂર્વ સીએમનો સીટ નંબર 2D હતો

June 12, 2025 15:12

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઈટમાં હોવાની માહિતી મળી છે. વિગતો મુજબ તેઓ તેમની દીકરીને મળવા માટે મુસાફરી કરી રહ્યા હતા.

મોદી-શાહ અમદાવાદ આવવા રવાના

June 12, 2025 15:08

અમદાવાદ પ્લેન ક્રેશમાં 50ના મોત થયા છે. આ તરફ એરપોર્ટ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સમાચાર સામે આવ્યા છે કે, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે.

PM મોદીએ કરી વાતચીત

June 12, 2025 15:02

પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી. તેમણે તેમને અમદાવાદ જવા અને હવાઈ દુર્ઘટનાના પગલે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું છે: સૂત્રો

ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી

June 12, 2025 15:02

ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. માહિતી અનુસાર, વિજય રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની સંભાવના છે.

પૂર્વ CM વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હોવાની આશંકા

June 12, 2025 14:53

આ દુર્ઘટનાન સમાચારની વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાનું અને તેઓ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

CM સુરતથી અમદાવાદ આવવા રવાના

June 12, 2025 14:53

અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.

અમિત શાહે મુખ્યમંત્રી CM, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી

June 12, 2025 14:53

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ

June 12, 2025 14:53

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ