બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Governor orders probe against state government over negligence of machinery in corona crisis

કાર્યવાહી / કોંગ્રેસની માંગ સામે રાજ્યપાલે રાજ્ય સરકારની કોરોના કામગીરી મામલે માનવ અધિકાર આયોગને પત્ર લખ્યો

Gayatri

Last Updated: 11:12 AM, 24 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યપાલે વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના પત્ર બાદ ઘટતી કાર્યવાહી કરવા અંગે આદેશ આપતો પત્ર લખ્યો હતો. માનવઅધિકાર ભંગ થયો હોય તો તે મામલે પણ ઘટીત કાર્યવાહી કરવા અંગેનો વળતો જવાબ આપતો પત્ર લખ્યો હતો.

  • વિધાનસભા ધારાસભ્ય દ્વારા લખાયો હતો પ્રશ્ન
  • રાજ્યપાલે આ અંગે આપ્યો હતો જવાબ
  • માનવ અધિકાર ભંગ બદલ કરશે તપાસ

 

રાજ્યપાલે આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકાર સામે કોરોના સંકટમાં નિષ્ફળ કામગીરી સામે કાર્યવાહી કરવા લખેલા પત્રની સામે રૂટિન કાર્યવાહી અર્થે માનવ અધિકાર આયોગને પત્ર મોકલી દેવાયો છે તેવી જાણ કરાઈ હતી.

મહત્વનું છે કે કોંગ્રેસ નેતા શૈલષ પરમાર દ્વારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો. જેની સામે રાજ્યપાલ દ્વારા રૂટિન કાર્યવાહીને આધારે યોગ્ય કરવા માનવ અધિકાર આયોગને પત્ર લખી જાણ કરી હતી. રાજ્યપાલ કચેરીએ આ બાબતે ધારાસભ્ય શૈલેષ પરમાર ને પણ આ બાબતે જાણ કરી હતી.

શું હતો મામલો?

કોરોનામાં અસફળ ગુજરાત સરકાર સામે માનવ અધિકાર ભંગ બદલ ચાલશે ખટલો.રાજ્ય સરકાર સામે રાજ્યપાલે તપાસના આદેશ કર્યો છે. વિધાનસભાના ઉપનેતા શૈલષ પરમાર દ્રારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો.

સવા છ કરોડ લોકોનાને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી. જે અંતર્ગત રાજ્યપાલે સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Governor Gujarat Govt ગુજરાત સરકાર માનવઅધિકાર પંચ રાજ્યપાલ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ