બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ganesh chaturthi 2019 things to keep in mind before buying ganesh idol and how puja place decoration
આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. ભગવાન ગણેશની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ 10માં દિવસે ધૂમ ધામથી, વાજતે ગાતે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.
ADVERTISEMENT

આમ થવી જોઇએ ગજાનનની ખરીદી
ADVERTISEMENT
ગણેશજીની મૂર્તિ લેવા જાઓ તો હંમેશા નવા અને સ્વચ્છ કપડા પહેરીને જાઓ. મૂર્તિ ખરીદી સમયે એ ધ્યાન રાખવું કે તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. ડાબી બાજુ વળેલી સૂંઢવાળી મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે. ઘરમાં મૂર્તિ લાવી તેને ચાંદીની થાળીમાં સ્વસ્તિક બનાવી રાખો. ઘરમાં વિરાજમાન કરો તો મંગલગાન કરવું, કીર્તન કરવું. લાડુનો ભોગ પણ ધરાવવો. ત્યારબાદ રોજ સવારે-સાંજે તેમની આરતી કરવી અને મોદકનો ભોગ ધરાવવો.

ADVERTISEMENT
કેવું જોવું જોઇએ પૂજા સ્થળ
ગણપતિ બાપ્પાને વિરાજમાન કરવા માટે પહેલા કુમકુમ (કંકૂ) થી સ્વસ્તિક બનાવો. ચાર હળદરનો લેપ લગાવવો. એક મુઠ્ઠી ચોખા રાખો, તેના પર નાનો બાજોઠ રાખો. લાલ, કેસરીયા અથવા પીળા વસ્ત્રોને તેના પર વિસાવો. રંગોળી, ફૂલ, આંબાના પત્તા અને અન્ય સામગ્રીથી સ્થાનને સજાવો. તાંબાનો કળશ પાણીમાં ભરી, આંબાના પત્તા અને નારિયળની સાથે સજાવો. આ તૈયારી ગણેશ ઉત્સવની પહેલા કહી લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.