બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીર બ્રિજ દુર્ઘટના: મૃતકોથી લઇને ઈજાગ્રસ્તો માટે રાજ્ય-કેન્દ્ર સરકારની સહાય જાહેર, અપાશે આટલા લાખ

મદદનો હાથ / ગંભીર બ્રિજ દુર્ઘટના: મૃતકોથી લઇને ઈજાગ્રસ્તો માટે રાજ્ય-કેન્દ્ર સરકારની સહાય જાહેર, અપાશે આટલા લાખ

Nidhi Panchal

Last Updated: 01:18 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈની સવારે તૂટી પડતા ભયાનક દુર્ઘટના ઘટી. અનેક વાહનો નદીમાં ખાબકતા 9 લોકોના મોત થયા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી. ઈજાગ્રસ્તો માટે રાજ્ય-કેન્દ્ર સરકારની સહાયની જાહેરાત કરી છે.

9 જુલાઈ 2025ની વહેલી સવારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો. આ બ્રિજ આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક મહીસાગર નદી પર આવેલો છે. બ્રિજ તૂટી પડતાં ઉપરથી પસાર થઈ રહેલા વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા. જેમાં બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા શામેલ હતા.

rescue-2

આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના દૂઃખદ મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બનતાની સાથે જ મુજપુર અને આસપાસના ગામોના લોકો ટોળેટોળા કરીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેટલાક લોકોએ પોતાની જાતે પણ બચાવ કામગીરીમાં ભાગ લીધો અને નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને લોકોને બચાવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સરકાર દ્વારા સહાય

ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને PM નરેન્દ્ર મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે સહાયની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારમાં સંપૂર્ણ સંવેદનાની સાથે ઉભા છે અને તમામ જરૂરી મદદ આપશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ₹4 લાખની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત, દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિને ₹50,000ની તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવશે તેમજ તમામ સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે.

પહેલીથી જ હતો જર્જરિત

અહીં નોંધનીય છે કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને સ્થાનિક લોકોને તેના તૂટી પડવાની આશંકા પણ હતી. છતાં, સમયસર રિપેરિંગ કે નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી, જેને લીધે આજે આ ગંભીર ઘટના ઘટી. ગંભીરા બ્રિજ થોડો સમયથી 'સુસાઇડ પોઇન્ટ' તરીકે પણ ઓળખાતો હતો, જેના કારણે ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને ચેતવણીના બોર્ડ લગાવેલા હતા. હવે આ દુર્ઘટના પછી આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેની મહત્વની માર્ગસંકળા તૂટી ગઈ છે.

app promo3

આ પણ વાંચો : ગંભીરા બ્રિજ દુર્ઘટના: PM મોદીએ ઘુમાવ્યો CMને ફોન, મુખ્યમંત્રીએ આપી જાણકારી

હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ છે અને વહેતી નદીમાંથી વાહનો અને શંકાસ્પદ મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. સ્થળ પર વહીવટીતંત્ર, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો સતત કાર્યરત છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તમામ જૂના પુલોની તપાસ અને સમીક્ષા જરૂરી બનતી જણાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Digital goverment help gambhira bridge news
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ