બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મહીસાગર નદીમાં ભરતીના કારણે 5 ફૂટ પાણી વધશે! તો અંદર પડેલા ટ્રકનું શું થશે?
Last Updated: 05:07 PM, 9 July 2025
મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં અત્યારસુધી 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડ, NDRF અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. અહીં મહત્વની વાત એ છે કે રેસ્ક્યુ કામગીરીની વચ્ચે નદીમાં પાણીની સપાટી વધવાની છે.. અને પાણીની વધતી સપાટી વચ્ચે રેસ્ક્યુ કામગીરી વધારે પડકારરૂપ નીવડશે..
ADVERTISEMENT
આવતીકાલે પુનમ હોવાથી અત્યારથીજ દરિયામાં અસર જોવા મળશે.. અને દરિયામાં ભરતી આવશે.. દરિયામાં ભરતી આવતાજ તેના પાણી મહિસાગર નદીમાં આવતા હોય છે. ભરતીને કારણે નદીમાં 5 ફૂટ જેટલું પાણી વધે તેવો અંદાજ છે. આવામાં રેસ્ક્યુ કામગીરીમાં પડકાર ઉભો થશે.
મહત્વનું છે કે અકસ્માતને પગલે આગામી કેટલાક દિવસો સુધી આ બ્રિજ પર વાહન વ્યહાર બંધ કરવામાં આવ્યો છે. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'પુલ અચાનક તૂટ્યો અને અમે કૂદી ગયા...' ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ત્રણ લોકોનો આબાદ બચાવ
અત્યાર સુધી પાંચ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા નદીમાંથી વાહનો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન રહ્યા હતા પરંતુ આજે વરસાદ ના રહેતા રેસ્ક્યૂ કામગીરી કોઇ વિઘ્ન વગર ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.