બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / gajendra singh shekhawat vasundhara raje bjp cm face rajasthan assembly election
Arohi
Last Updated: 10:28 AM, 17 June 2023
વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હાર બાદથી વસુંધરા રાજે રાજ્યના રાજકારણમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. ચૂંટણીના વર્ષમાં હવે તે ફરીથી ફ્રંટફૂટ પર જોવા મળી રહ્યા છે. વસુંધરા આખાવર્ષમાં પોતાના જન્મદિવસ પર મોટી રેલી કરી પોતાની તાકાત બતાવી ચુકી છે.
પાર્ટીએ પણ તેમને આગળ રાખવાનું શરૂ કરી દીધુ છે. આજ કારણ છે કે અમુક મહિના પહેલા જ જ્યાં વસુંધરાનું રાજકીય કરીયર પુરૂ થવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. ત્યાં જ હવે ફરી એક વખત તેમને રાજસ્થાનના સૌથી મોટા ચહેરાના રૂપમાં જોવાની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે.
પુનિયાનો રાજ્યાભિષેક વસુંધરા માટે એક મજબૂત સંદેશ
બીજેપી હાઈકમાન્ડે વસુંધરા રાજેની પસંદ-નાપસંદને સાઈડ કરી સતીશ પુનિયાને રાજસ્થાન બીજેપીના અધ્યક્ષ બનાવ્યા હતા. આ એક પ્રકારનો વસુંધરાને કડક મેસેજ હતો.
સતીશ પુનિયાને અધ્યક્ષ બનાવવ્યા બાદ રાજસ્થાન બીજેપીના કાર્યક્રમોથી વસુંધરાને કિનારે કરી દેવામાં આવ્યા. રાજસ્થાનમાં બીજેપીનો સૌથી મોટો ચહેરો માનવામાં આવતા વસુંધરા રાજે પાર્ટીના હોડિંગ-પોસ્ટર્સથી ગાયબ થઈ ગયા.
વસુંધરાનું પત્તુ કટ થવાની અટકળો
અમુક સમય પહેલા કેન્દ્રીય મંત્રી ગજેદ્ર સિંહ શેખાવતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સંગઠનના ચહેરા પર વિધાનસભા ચૂંટણી લડશે. તેના બાદ વસુંધરાનું પત્તુ કટ થવાની અટકળો ઉઠી. પરંતુ ચૂંટણીના વર્ષમાં સંપૂર્ણ ફેરફાર થઈ ગયો. પહેલા સતીશ પુનિયાની છુટ્ટી થઈ અને હવે વાત વસુંધરાનું કરિયર પુરૂ થવાની નથી. પરંતુ બીજેપીનો CM ફેસ બનાવવાની થવા લાગી છે.
પરિવર્તનની પાછળ કર્ણાટક ચૂંટણીના પરિણામનો રોલ
વસુંધરા રાજેને લઈને બીજેપી અને મુખ્ય નેતૃત્વના રસ્તામાં આવેલી પરિવર્તનની પાછળ કર્ણાટક ચૂંટણી પરિણામોનો મોટો રોલ માનવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં બીજેપીની હારની પાછળ દરેક ચૂંટણમાં પીએમ મોદીના ચહેરા પર દાવ લગાવવાની રણનીતિ વધારે મજબૂત સ્થાનીય ચહેરા યેદિયુરપ્પાને સાઈડ કરવાને પણ મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે બીજેપી રાજસ્થાનમાં વસુંધરા રાજેને સાઈડ કરીને કર્ણાટક વાળી ભુલ ફરી નથી કરવા માંગતા.
15 વર્ષ બાદ સત્તા ગુમાવી બેઠી બીજેપી
વર્ષ 2018ના વિધાનસભા ચૂંટણીના સમય સુધીના બીજેપી અધ્યક્ષ અમિત શાહે મધ્ય પ્રદેશને લઈને લગભગ એવી જ વાત કરી હતી જેવી આ વખતે ગજેન્દ્ર સિંગ શેખાવતે રાજસ્થાનને લઈને કહી. વાત હતી સંગઠનના ચહેરા પર ચૂંટણી લડવાની હતી. તેના બાદ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો બીજેપી 15 વર્ષ બાદ સત્તા ગુમાવી બેઠી. તેના માટે ત્યારે નેતૃત્વને લઈને બનેલા ભ્રમની સ્થિતિને પણ જવાબદાર જણાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime