બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Before the election the former Prime Minister slammed the BJP government

રાજકારણ / "આ સરકારનો નકલી રાષ્ટ્રવાદ ખતરનાક છે", પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનાં PM મોદી પર આકરા પ્રહાર

Published By: Ronak

Last Updated: 03:43 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે PM મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, જેમા તેમણે કહ્યું કે આ સરકારનો રાષ્ટ્રવાદ જેટલો પોકળ છે તેટલોજ ખતરનાક છે.

  • પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તોડી ચુપ્પી 
  • PM મોદી પર કર્યા આકરા પ્રહાર 
  • પંજાબમાં ચૂંટણી પહેલા મનમોહનસિંહનું મોટું નિવેદન 

ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહનસિંહે આજે ભાજપ પર નિશાન સાધ્યું જેમા તેમણે કહ્યું તે લોકો અમારા સારા કામ યાદ કરી રહ્યા છે. સાથેજ તેમણે પીએમ મોદીની સુરક્ષાને મુદ્દે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના લોકોના અપમાન કરવાની વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે ભાજપના રાજમાં અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે. જ્યારે ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. 

સંવિધાનિક સંસ્થાઓ સતત નાજુક કરવામાં આવી 

મનમોહનસિંહે એવું પણ કહ્યું કે આ સરકારનો નકલી રાષ્ટ્રવાદ જેટલો ખોકલો છે તેટલોજ ખતરનાક પણ છે. આમનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની વહેચો અને રાજકરોની નીતિ જેવો છે. સાથેજ તેમણે કહ્યું સંવિધાનિક સંસ્થાઓને સતત નાજુક કરવામાં આવી રહી છે. ઉપરાંત એવું પણ કહ્યું કે આ સરકાર વિદેશ નીતિના મોર્ચા ઉપર પણ નિષ્ફળ નિવડી છે. 

લોકો મોંઘવારીથી હેરાન 

કેન્દ્ર સરકાર પર વધું પ્રહાર કરતા મનમોહન સિંહે કહ્યું કે ખારબ નીતિઓને કારણે લોકો આર્થિક બેરજગારી અને મોંઘાવારીથી હેરાન છે. સાડા સાત વર્ષ સરકાર ચલાવ્યા પછી પણ સરકાર તેમનમી ભૂલો સુધારવાને બદલે પહેલા વડાપ્રધાન જવાબહરલાલ નહેરુને જવાબદાર ગણાવામાં લાગી છે. 

વિદેશ નીતિમાં પણ સરકાર નિષ્ફળ 

મનમોહન સિંહે આગળ એવું પણ કહ્યું કે ભાજપના નેતૃત્વ વાળી સરકારમાં આર્થિક નીતિની કોઈ સમજ નથી. આ મુદ્દો દેશ સુધી સીમિત નથી. સરકાર વિદેશ નીતિ પર પણ નિષ્ફળ રહી છે. ચીન આપણી સીમા પર બેઠું છે અને દબાવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

PM મોદીના પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર 

ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદીએ અબોહરમાં ફરી જનસભા સંબોધીત કરતા કોંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યું કે એક વાર 5 વર્ષ મને આપો. દેશમાં જેટલા પણા રાજ્યો છે ત્યાથી કોંગ્રેસ એકવાર ગઈ તો પરત નથી આવી શકી. જ્યા પણ ભાજપને આશીર્વાદ મળ્યા છે ત્યા કોંગ્રેસ જડમૂળથી સમાપ્ત થઈ ગઈ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Government PM modi dr. manmohan singh statement પીએમ મોદી ભાજપ સરકાર મનમોહન સિંહ મોટું નિવેદન former pm manmohan sigh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ