બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોંગ્રેસે મોટી ખોટ પડી
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ મુંબઈ અધ્યક્ષ એકનાથ ગાયકવાડનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. એકનાથ ગાયકવાડ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના પિતા હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. જાણકારી અનુસાર સવારે 10 વાગે તેમનું નિધન થયું છે.
ADVERTISEMENT
Former Congress MP and party's senior leader Eknath Gaikwad passes away in Mumbai. He was state minister Varsha Gaikwad's father.
— ANI (@ANI) April 28, 2021
(File photo) pic.twitter.com/GCwKqAVf4W
ADVERTISEMENT
તેમના દીકરી અત્યારે મહારાષ્ટ્રમાં છે શિક્ષણ મંત્રી
એકનાથ ગાયકવાડ કોંગ્રેસના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસને આગળ લાવવામાં તેમનું મોટું યોગદાન હતું. ગાયકવાડના નિધનથી મુંબઈ કોંગ્રેસના સંગઠનને એક મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ સહિતના મોટા નેતાઓએ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એકનાથ ગાયકવાડનો આખો પરિવાર અત્યારે હોસ્પિટલમાં છે અને બપોર બાદ પરિવારને શબ સોંપવામાં આવશે, જે બાદ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઑ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસને પડ્યો જોરદાર ફટકો
મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સતેજ પાટિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પાછલા 20-25 વર્ષથી અમારા જેવા નેતાઑ તેમને એક વરિષ્ઠ નેતા તરીકે જોતાં હતા અને મુંબઈની કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. તે એક એવા નેતા હતા જે બધાને સાથે લઈને ચાલતા હતા અને તેમનાથી ઘણું બધુ શીખવા મળ્યું છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે સતત કોહરામ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરે એવો કહેર મચાવ્યો કે લોકો સારવાર વિના જ મોતને ભેટી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.