બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ હવે રાજકારણમાં અલગ પ્લાન બનાવી રહ્યા છે પરંતુ આ મામલે તેમણે હજું સુધી કોઈ ખુલાસો નથી કર્યો. પરંતુ તેમની ગતી વિધીઓ પર કોંગ્રેસજ નહી બધીજ રાજકીય પાર્ટીઓ નજર રાખી રહી છે. કારણકે તેમને રાજકારણમાં લાંબો અનુભવ છે.
.jpg)
ADVERTISEMENT
બીએસએફના જવાનોને ખાસ અધિકાર
પંજાબંમાં બીએસએફના જવાનોને 50 કિમીના દાયરામાં વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જે મામલે સૌ કોઈને એમ લાગી રહ્યું છે કે કેપ્ટનેજ કેન્દ્ર સરકાર સાથે મળીને આ કાર્યને અંજામ અપાવ્યો છે.
ADVERTISEMENT
.jpg)
ત્રીજી વખત અમિતશાહ સાથે લેશે મુલાકાત
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે કેપ્ટન ફરી દિલ્હી પ્રવાસે ગયા છે. જ્યા આજે તેઓઔ ફરી વખત ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત લેશે તેવી ચર્ચા ચાલી રહી છે. તેઓ ત્રીજી વખત અમિતશાહને મલી શકે છે. બીજી તરફ કૃષિ કાયદાને લઈને આંદોલનનું સમાધાન થાય તેને લઈને પણ મુલાકાત તેઓ કરવાના તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
.jpg)
ADVERTISEMENT
2 દિવસના દિલ્હી પ્રવાસે
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદ પરથી હટ્યા બાદ અમરિંદર સિંહ ત્રીજી વખત દિલ્હી પ્રવાસે ગયા છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે તેઓ વધું 2 દિવસ સુધી દિલ્હીમાંજ રહેશે. જ્યા તેઓ પંજાબને લઈને વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. જેમા તેઓ ખાસ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલકાત કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.