બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 PM, 15 June 2025
Air India Plane Crash : અમદાવાદ લંડન પ્લેન ક્રેશ દુર્ધટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા સાંસદ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર સહિતનાં અનેક પદ પર રહી ચુકેલા વિજય રૂપાણીનું અવસાન થયું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 16 જૂનના દિવસે એક દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવતા રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય શોકની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જઇ રહેલી AI 171 ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઇ અને તમામ મુસાફરોનાં મોત નિપજ્યાં છે. એક વ્યક્તિનાં ચમત્કારીક બચાવ સિવાયનાં તમામ લોકોનાં મોત થયા છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ ફાધર્સ ડે હોવાથી પોતાની પુત્રીને મળવા માટે જઇ રહ્યા હતા. જો કે ગોઝારી દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ દુર્ઘટનામાં 35 મૃતકોનાં દેહ પરિવારને સોંપાયા, અધિકારીઓની ટીમ સતત ખડેપગે
તેમનાં પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે વિદાય
ADVERTISEMENT
હવે તેમનાં DNA મેચ થઇ જતા તેમનાં પાર્થિવ દેહને સંપુર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે સરકારે વિજય રૂપાણીના પરિવારને જ આ મામલે કાર્યક્રમ નક્કી કરવા માટેની છુટ આપી હતી. જે અનુસંધાને તેમનાં પરિવાર દ્વારા સરકારને અપાયેલા માર્ગદર્શન અનુસાર તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની વિગત
ADVERTISEMENT
વિજય ભાઇ રૂપાણીનો પાર્થિવ દેહ સવારે 11 વાગ્યે ગાંધીનગર નિવાસ સ્થાનેથી પાર્થિવ દેહનો સ્વિકાર કરવા માટે તેમનો પરિવાર રવાના થશે. 11.30 વાગ્યે પાર્થિવ દેહનો સ્વિકાર કરીને તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી રવાના થઇને રાજકોટ એરપોર્ટ પર પાર્થિવ દેહ સાથે 2થી2.30 વાગ્યે પહોંચશે.
11 વાગ્યાથી શરૂ થશે પ્રક્રિયા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.