બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / first Navratri after the renovation of the Pavagadh temple
Mahadev Dave
Last Updated: 10:04 PM, 25 September 2022
ADVERTISEMENT
માં શક્તિની ઉપાસના અને ભક્તિના મહાપર્વ આશો નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ અને મંદિરના નવીનીકરણ કર્યા બાદની પ્રથમ નવરાત્રી ઉજવાઇ રહી છે. જે જોતા વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને રોપ વે સેવા આપતી ઉષા બ્રેકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભક્તોએ પાવાગઢ દુધિયા તળાવમાં સ્નાન કર્યું
ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વના અગાઉ દિવસે એટલે કે અમાસના દિવસે મધ્યપ્રદેશ અને અન્ય માઇ ભક્તોએ પાવાગઢ દુધિયા તળાવમાં સ્નાન કર્યા બાદ મંદિરમાંથી જ્યોત લઈ જવાની પરંપરા છે. જેને લઈ આજે ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. બીજી તરફ પદયાત્રીઓ અને યાત્રાળુ સંઘ મોડી સાંજે પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા જેઓ રાત્રિ રોકાણ કરી વહેલી સવારે પ્રથમ નોરતે માતાજીના દર્શન કરશે.
વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું
કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી હશે જયારે તેઓ તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી શકશે. એમાંય પાવાગઢના નવીનીકરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કરી પાવાગઢની તમામ સુવિધાઓનું લોકાર્પણ કર્યું ત્યારથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે. જે જોતાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી,સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રિ દરમિયાન નિજ મંદિર વહેલું ખુલ્લું મુકવા,સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું
પોલીસ જવાનો ખડેપગે
ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને લઈ મંદીર અને યાત્રિકોની સુરક્ષાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડીવાયએસપી, પીઆઇ, પી.એસ.આઈ જેવા અધિકારીઓ સહિત એક હજારથી વધુ પોલીસ જવાનો અને એસઆરપીની ટુકડી બંદોબસ્તમાં તૈનાત કરવાનું આયોજન કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT