બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / EVM are not wrong this is why BJP wins Congress MLAs statement ahead of elections
Kishor
Last Updated: 05:47 PM, 9 October 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઑ ગણાઈ રહી છે. જેને લઇને તમામ પક્ષોના નેતાઑ-કાર્યકરો મતદારોને રિઝવવા અને પોતાની વાતને લોકઑ સુધી પહોંચાડવામાં લાગી ગયા છે. તેવામાં ચૂંટણી પહેલા એક જાહેરસભા દરમિયાન બનાસકાંઠાના દિયોદરના ધારાસભ્ય શિવા ભુરીયાનુ નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઇ તેમણે સૂચક નિવેદન આપતા ચર્ચા જાગી છે.
ભાજપે ખોટા વાયદા કરી સત્તા મેળવી છે: શિવા ભુરીયા
દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ભાજપની માત્ર 50 બેઠકો જ આવશે. એટલું જ નહિ ભાજપે ખોટા વાયદા કરી અને લોકને ભોળવી સત્તા મેળવી લીધી હોવાનો પણ શિવા ભુરીયાએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના જ નેતાઑ EVM માં સેટિંગ થતાં હોવાના આરોપો લગાવે છે. ત્યારે આ મામલે શિવા ભુરીયાએ ઉમેર્યું હતું કે EVM ખોટા નથી હોતા પણ ચૂંટણી ટાણે કેટલાક લોકો ફુટી જાય છે અને કમળના નિશાન પર વોટ આપતા હોવાથી ભાજપ જીતે છે. તેમ જણાવ્યું હતું.
EVM ખોટા નથી કેટલાક લોકો ફુટી જાય છે
કોંગી ધારાસભ્ય શિવા ભુરીયાએ હુંકાર કરતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં માત્ર દિયોદર સીટ પર જ કોંગ્રેસને નથી જિતાડવાની પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો જબરદસ્ત વિજય કરાવવાનો છે જે નેમ સાથે તમામ લોકો કામે લાગી જાય! ઉલ્લેખનિય છે કે EVM ખોટા ન હોવા અંગે કોંગ્રેસી ધારાસભ્ય શિવા ભુરીયાએ લગભગ ચાર માસ પહેલા પણ નિવેદન આપ્યું હતું. જેને લઇને પણ તે ચર્ચામાં આવ્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime