બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સ્ટાર્ટ-અપ કીટલી / 'પરાણે કરાવતા હતા આ કામ..', મહિલા સિંગરે ખોલી ઓસ્કાર વિજેતાની પોલ
Last Updated: 02:43 PM, 22 April 2025
MM Keeravani : સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 'પડુથા તીયાગા' જેવા રિયાલિટી શોમાં જોવા મળેલી ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સંગીત ઉદ્યોગની હસ્તીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરવાની, ગીતકાર ચંદ્રબોઝ અને ગાયિકા સુનિતાના નામનો સમાવેશ થાય છે. ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રિયાલિટી શોમાં જજ તરીકે દેખાતા ત્રણ સંગીતકારો પર અપમાનજનક ટિપ્પણીઓ અને પક્ષપાત દ્વારા તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે .
ADVERTISEMENT
સંગીતકાર એમએમ કિરાવની પર આવો આરોપ લાગ્યો
ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ દાવો કર્યો છે કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરાવનીએ તેમને કીરવાનીના ગીતો ગાયા ત્યારે જ ઉચ્ચ ગુણ આપ્યા હતા. ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ ખુલાસો કર્યો છે કે, જ્યારે તેણે શોમાં લગ્નોમાં પર્ફોર્મ કરવા વિશે વાત કરી ત્યારે કીરવાનીએ જવાબ આપ્યો કે, તે આવા ગાયકોને નફરત કરે છે.
ADVERTISEMENT
સ્પર્ધકોની તરફેણ કરવામાં આવી હતી
દક્ષિણ ભારતના પ્રખ્યાત ગીતકાર ચંદ્ર બોઝ અંગે ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ આરોપ લગાવ્યો છે કે, તેમણે પણ તેમના ગીતોના સંદર્ભમાં સ્પર્ધકોની તરફેણ કરી હતી. પ્રવાસ્તિ આરાધ્યાના મતે શોમાં એમએમ કીરાવની અને ચંદ્રબોઝ પક્ષપાતી જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ગાયિકા સુનિતા પર અપમાનજનક ટિપ્પણીઓ કરીને માનસિક રીતે હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
కీరవాణి, సునీత, చంద్రబోస్లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు
— Ramesh Pammy (@rameshpammy) April 21, 2025
👉‘పాడుతాతీయగా’ షోలో జడ్జీలు వివక్ష చూపిస్తున్నారు.
👉బాడీ షేమింగ్తో పాటు పెళ్లిళ్లలో పాడానంటూ అవమానించారు.
👉బొడ్డు కిందకి చీర కొట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒత్తిడులు
- సింగర్ ప్రవస్తి… pic.twitter.com/uWIfIgr25q
રિયાલિટી શોમાં અસ્વસ્થતાવાળા કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું
ADVERTISEMENT
પ્રવાસ્તિ આરાધ્યાએ તેના વીડિયોમાં દાવો કર્યો છે કે, સિંગિંગ રિયાલિટી શોની પ્રોડક્શન ટીમ ઘણીવાર તેના પર એવા કપડાં પહેરવાનું દબાણ કરતી હતી જેનાથી તેનું પેટ ખુલ્લું પડે. આવી પરિસ્થિતિઓમાં તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવતી હતી. તેમણે કહ્યું કે, રિયાલિટી શોમાં ઘણી બધી એવી બાબતો બને છે જેમાં તમે સહજ નથી હોતા.
ADVERTISEMENT
હવે જાણો કોણ છે એમએમ કીરાવની ?
એમએમ કીરાવની એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર, ગાયક અને ગીતકાર છે. તેમણે તેલુગુ, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પોતાનું અદ્ભુત સંગીત આપ્યું છે. એમએમ કીરાવનીએ 1990માં દક્ષિણ ફિલ્મોથી પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 'બાહુબલી' શ્રેણી અને 'RRR' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અદ્ભુત સંગીતથી લોકોના દિલ જીતી લીધા છે. મળતી માહિતી મુજબ તેમને વર્ષ 2023 માં ફિલ્મ 'RRR' ના 'Natu Natu' ગીત માટે ગોલ્ડન ગ્લોબ અને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT