બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:31 PM, 12 August 2025
17 વર્ષથી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે અવારનવાર કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી શો છોડીને ચાલ્યા ગયા છે. આ અફવાએ ચાહકોમાં ઉત્સુકતા અને થોડી ચિંતા પણ વધારી છે. આખરે આ મુદ્દે ખુદ દિલીપ જોશીએ મૌન તોડ્યું અને નિર્માતા અસિત મોદી સમક્ષ તથા મીડિયા સાથે ખુલાસો જાહેર કર્યો હતો.
ADVERTISEMENT

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને સીધો સવાલ કરવામાં આવ્યો કે "શું તમે શો છોડી દીધો?" ત્યારે તેમણે હળવા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે "તમારો શું વિચાર છે? એપિસોડ પહેલાથી જ પ્રસારિત થઈ ચૂક્યા છે. 'તેથી મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર કોણ અફવાઓ ફેલાવી રહ્યું છે. હું આ વિશે શું કહી શકું? આવી અફવા પહેલી વાર નથી ફેલાઈ. અગાઉ પણ જ્યારે હું ભારતની બહાર ગયો હતો ત્યારે પણ આવું જ કહેવામાં આવ્યું હતું. જ્યારે પણ હું કોઈ એપિસોડમાં દેખાતો નથી, ત્યારે પણ આવું જ કહેવામાં આવે છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: પત્ની કરતા ઉંમરમાં ઘણા મોટા છે 6 એક્ટર, એક જોડી વચ્ચે તો 30 વર્ષનો તફાવત
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે "મને ખબર નથી કે એ લોકો કોણ છે જેમને આ બધું કરવામાં મજા આવે છે. જ્યાં સુધી તારક મહેતા છે ત્યાં સુધી હું તેમાં કામ કરતો રહીશ." આના પર પ્રતિક્રિયા આપતા અસિત મોદીએ કહ્યું, "ચાલો, જીવનમાં બીજું શું છે." આટલું કહીને તે દિલીપ જોશી સાથે આગળ વધે છે. આ રીતે ચાહકો માટે સ્પષ્ટ છે જેઠાલાલ ક્યાંય નથી જતાં અને ગોકુલધામની મજેદાર કહાનીઓ હજી ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.