બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:28 PM, 1 August 2026
ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય હેઠળ, રહેમરાહે નિમણૂક મેળવનાર પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ મળશે.વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને OPSનો લાભ મળશે તેવું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી સત્તાવાર ઠરાવમાં જણાવાયું છે.
ADVERTISEMENT
કેવી રીતે લેવો પેન્શન યોજનાનો લાભ
આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓએ OPSનો લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે. સરકારના આ નિર્ણયથી હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીના સમાચાર છે.
ADVERTISEMENT
વધુ વાંચો : જોર તો જુઓ વરસાદનું! ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ, પછી શું બન્યું?
કોને મળશે પેન્શન યોજનાનો લાભ
ADVERTISEMENT
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અનુસાર, 15/06/2004 થી 31/03/2005 સુધીમાં રહેમરાહે નિમણૂક પામેલ હોવા જોઈએ અને તેમની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી કરવામાં આવેલ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.