બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સમગ્ર વિશ્વમાં કરોડરજ્જુના રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે 16 ઓક્ટોબરને વર્લ્ડ સ્પાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વિકલાંગતાના મુખ્ય કારણોમાં કરોડરજ્જુની વિકૃતિઓ કે બીમારીઓ રહેલી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાઇ ઉજવણી
ADVERTISEMENT
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ વર્ષે આજનો દિવસ #GetSpineActiveના સંદેશ સાથે પોતાની સારી સંભાળ રાખીને કરોડરજ્જુના દુ:ખાવા અને વિકલાંગતાને રોકવા માટે તમામ ઉંમરના લોકોને જાણ, શિક્ષિત અને પ્રેરિત કરવા માટે રાખવામાં આવ્યો છે.
કમ્પ્રેસિવ માયલૉપેથી નામની બીમારી કરોડરજ્જને બનાવે છે સંકુચિત
ADVERTISEMENT
કમ્પ્રેસિવ માયલૉપેથી નામની બીમારી સ્પાઈન (કરોડરજ્જુ)ના હાડકાંને સંકુચિત કરીને તેમે નબળી બનાવે છે. કમ્પ્રેસિવ માયલૉપેથી નામની બીમારી સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે, પરંતુ ઘણા કારણો એવા પણ છે જેના લીધે આ બીમારી નાની ઉંમરે પણ સમસ્યાનું કારણ બની શકે છે. કમરથી લઈને માથા સુધી જનારી કરોડરજ્જુના હાડકાના દુખાવાને જ સ્પૉન્ડિલાઇટિસ કહેવાય છે.
પીડા ઉપરથી નીચે તરફ જાય
ADVERTISEMENT
આ એવી પીડા છે જે કેટલીક વખત નીચેથી ઉપરની તરફ અને ક્યારેક ઉપરથી નીચે તરફ આગળ વધે છે. સર્વાઈકલ સ્પૉન્ડિલાઇટિસ સંબંધિત સમસ્યાઓને કારણે જ્યારે સ્પાઈનલ કેનાલ સંકોચાય જાય છે, ત્યારે સ્પાઈનલ કૉર્ડ પર દબાણ ખૂબ વધે છે. આ ઉપરાંત આ રોગના અન્ય ઘણા કારણો પણ છે, જેમ કે સંધિવા ગળાના સાંધાને નુકસાન પહોંચાડે છે. સંધિવા સામાન્ય રીતે ગરદનના ઉપરના ભાગમાં થાય છે.
ADVERTISEMENT
કરોડરજ્જુની ટીબી, સ્પાઈનલ ટ્યૂમર, સ્પાઈનલ ઈન્ફેક્શન પણ આ રોગના મુખ્ય કારણો છે. કેટલીક વખત ખેલકુદ, ડાઈવિંગ કે કોઈ દુર્ઘટનાના કારણે કરોડરજ્જુની મધ્યમાં સ્થિત ડિસ્ક (જે હાડકાંના શૉક એબ્ઝૉર્વર તરીકે કાર્ય કરે છે) તેના સ્થાનથી ખસીને સ્પાઈનલ કેનાલ તરફ વધે છે. એ વખતે પણ સંકોચનની સ્થિતિ ઊભી થાય છે અને સમસ્યા સર્જાય છે.
ઓપરેશન વિના સારવાર શક્ય
ADVERTISEMENT
ઓપરેશન વિના પણ આ રોગની સારવાર શક્ય છે. જ્યારે આ રોગ શરૂ થાય છે ત્યારે તેનો દુ:ખાવો અને સોજો ઘટાડતી દવાઓ અને ઓપરેશન વગરની ટેક્નિકથી સારવાર કરવામાં આવે છે. કરોડરજ્જુને મજબૂત બનાવવા અને સ્થિરતા આપવા માટે ફિઝિયોથેરાપી કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી સર્જિકલ ટેક્નિક છે, જેનો ઉપયોગ આ રોગની સારવારમાં થઈ શકે છે.
આ વિશેષ કાળજી તમારી કરોડરજ્જુને બચાવશે
- જે લોકો કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરે છે તેમણે કમ્પ્યુટર મૉનિટર સીધું રાખવો જોઈએ.
- ખુરશીની બેક પર તમારી પીઠ એકદમ અડાડીને રાખવી જોઈએ. થોડા થોડા સમયના વિરામ બાદ ઊભા થઈને થોડા ચાલો.
- ફિઝીયોથેરાપી ગળાના ટ્રેક્શન અને ગરદનની કસરતથી આરામ મળી શકે છે.
- આ રોગથી બચવા માટે કસરત કરવી ખુબ જરૂરી છે.
- લાંબા સમય સુધી વાહન ચલાવવાની સ્થિતિમાં તમારી પીઠને ટેકો આપવા માટે પાછળ ઓશીકું મૂકવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.