બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ન કરતા આ ભૂલો, નહીંતર બોમ્બની જેમ ફાટશે મોબાઈલ
Last Updated: 10:23 PM, 12 November 2025
જો તમે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અમુક સાવચેતી નથી રાખતા તો તેમાં બ્લાસ્ટ પણ થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચાર્જ કરતી વખતે સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ બન્યા છે. એક્સપર્ટ અનુસાર, સામાન્ય ભૂલો જેમ કે ખોટા ચાર્જરનો ઉપયોગ કરવો કે ચાર્જ કરતી વખતે ફોનનો વધુ પડતો ઉપયોગ તે બાબતો આ જોખમને વધારે છે. તમારા ડીવાઈસને સુરક્ષિત રાખવા અને આ અકસ્માતથી બચવા માટે અમુક બાબતો જાણવી જરૂરી છે.
ADVERTISEMENT
ઘણીવાર અમુક લોકો તેમના સ્માર્ટફોનને ગમે તે ચાર્જરથી ચાર્જ કરે છે. પણ દરેક ફોનની બેટરીને ચોક્કસ વોલ્ટેજ અને એમ્પીરેજની જરૂર હોય છે. જેમાં નકલી કે લોકલ ચાર્જર આ જરૂરિયાત પૂરું કરતા નથી. આવા ચાર્જરનો ઉપયોગ કરવાથી બેટરી ઓવર ચાર્જ થઈ શકે છે કે પછી અસ્થિર વોલ્ટેજનો મળે છે. જેના કારણે બેટરી વધુ ગરમ થઈ શકે છે અને બ્લાસ્ટનું જોખમ વધી શકે છે. આથી હંમેશા તમારા સ્માર્ટફોનને તેના ઓરીજનલ ચાર્જરથી ચાર્જ કરો. જો તમારા સ્માર્ટફોનનું ચાર્જર બગડ્યું હોય તો નજીકના સર્વિસ સેન્ટર પર જઈને તે જ સ્માર્ટફોનનું ચાર્જર ખરીદો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.