હિન્દૂ ધર્મમાં દાનનો અનેરો મહિમા છે. ઇશ્વર માનવીને દાન કરવા માટે એ તમામ વસ્તુ આપે છે જે એ ઇચ્છે છે. તેથી શક્તિ અનુસાર દરેકે કોઇને દાન કરવું જોઇએ જેથી જરૂરીયાતમંદની આવશ્યક્તાઓ પણ પૂર્ણ થઇ શકે અને આપની મનોકામના પણ પૂર્ણ થઇ શકે.
આર્થિક સમસ્યાએ મુશ્કેલી છે જે દરેકની સમસ્યાઓ હોય છે. મા લક્ષ્મી ધનની દેવી છે અને તેથી તેમની પૂજા કરવી જરૂરી હોય છે. ખાસ કરીને શુક્રવારે કંઇકને કંઇક દાન કરવું જોઇએ.
ઘરમાં રાખવામાં આવેલ વસ્તુઓનું દાન આપશે ખુશી
એવું નથી કે આપને હંમેશા એવી વસ્તુઓનું દાન કરવાનું છે જે બજારથી ખરીદીને લાવવામાં આવી હોય. આપ ઘરમાં રાખવામાં આવેલ વસ્તુનં પણ દાન કરી શકો છો. આપ શુક્રવારે એવી વસ્તુઓનું પણ દાન આપી શકો જે માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકે. અહીં જાણીએ કે શુક્રવારે કઇ વસ્તુઓનું દાન આપન સુખ-સમૃદ્ધિ માટે જરૂરી છે.
1 શુક્રવારના દિવસે આપના ઘરના બિન જરૂરી કાગળ જરૂરીયાતમંદને આપો. તેથી આપના ઘરમાં ક્યારેય કોઇ વસ્તુઓની કમી નહીં રહે.